Mysamachar.in-જામનગર:
સરકાર ભલે ગમે તેટલી રોજગારીના દાવાઓ કરે પણ આ દાવાઓમા દમ એટલા માટે નથી કેમ કે આજની તારીખે પણ નોકરી મેળવવા ભણેલા હોવા છતાં નોકરીવાંચ્છુઓ ને પરેશાની નો પાર નથી રહેતો અને નોકરી મેળવવા અંતે તેવો ગમે તેમ કરતાં હોય છે, ત્યારે આવા જ ૨૬ નોકરીવાંચ્છુઓ ને સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી છેતરપીંડી અને વિશ્વાસઘાતનો એક કિસ્સો જામનગર સીટી સી ડીવીઝનના પોલીસ ચોપડે નોંધાયો છે,
વાત એવી છે કે મૂળ ધ્રોલના મજોઠ ગામે રહેતા જયદીપભાઈ હેમતભાઈ સંઘાણી નામના યુવકનો ભેટો દીનેશ ચૌધરી સાથે થયો હતો, અને દિનેશે જયદીપ સહીત અન્ય ૨૬ ભોગ બનનારાને પણ સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી અપાવવાનું કહી અને વિશ્વાસમા લઈને ૧.૯૯.૬૦૦ રૂપિયા લઇ અને બાદમાં આવી કોઈ જ નોકરી શિક્ષક તરીકે ના અપાવતા આ તમામ ૨૬ લોકોને છેતરપીંડી નો ભોગ બન્યાનું માલુમ થતા જયદીપ સંઘાણીએ આ મતલબની સીટી સી ડીવીઝનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.