Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરના સુરજકરાડીમાં એક હત્યાના પ્રયાસની ફરિયાદ સામે આવી છે, જેમાં ગણેશપર વાણંદજ્ઞાતિનીવાડી પાસે વસવાટ કરતા કમીબેન વારસાકીયા એ પોતાની માલિકીનું મકાન જયશ્રીબેન નામની મહિલાને ભાડા પર આપ્યું હતું, એવામાં બે દિવસ પૂર્વે મકાનમાલિક કમીબેન ભાડુઆત જયશ્રીબેન પાસે ભાડાની વસુલાત કરવા ગયા હતા, ત્યારે તેણીએ ભાડું આપવાની ના પાડી દઈને કેરોસીનનું ડબલું લઈને મકાનમાલિકના ઘરમાં ઘુસી જઈ કમીબેન પર કેરોસીન છાંટી તેને સળગાવી દીધા બાદ ગંભીર હાલતમાં મકાનમાલિક કમીબેનને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેને ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.