Mysamachar.in-ગાંધીનગરઃ
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ ગૌમાંશ અને ગૌવંશ અંગે પુછેલા પ્રશ્નોની સંકલિત માહિતી માગી હતી. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજ્યમાં 31-12-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 10004900 કિ.ગ્રા. એટલે કે 100 ટન જેટલો ગૌમાંસનો જથ્થો પકડાયો છે અને 3,462 ગૌવંશ (ગાય,બળદ, આખલા, વાછરડા) પકડાયેલ છે. સુરતમાંથી સૌથી વધુ 55,162 કિ.ગ્રા. ગૌમાંસ પકડાયેલ છે અને પંચમહાલમાંથી 674 ગૌવંશ પકડાયેલ છે. વાત હાલારના બંને જિલ્લાની કરીએ તો જામનગરમાંથી બે વર્ષમાં એકપણ કિલો ગૌમાંસ પકડાયું નથી, જ્યારે 40 જેટલા ગૌવંશને પકડવામાં આવ્યા છે. તો દેવભુમી દ્વારકામાં તો એક પણ ગૌમાંસ કે ગૌવંશ કંઇ જ ઝડપાયું નથી.
ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ હોવાછતાં દરરોજ હજારો કિલો ગૌમાંસ ઝડપાય છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જ્યારે 3,462 ગૌવંશ(ગાય, બળદ, આખલા, વાછરડા) ઝડપાયા છે. તેમાં પણ સુરતમાં સૌથી વધુ 55 હજાર 162 કિલો ગૌમાંસ ઝડપાયું છે, જ્યારે પંચમહાલમાંથી 674 ગૌવંશ ઝડપાયા છે. જ્યારે સુરત બાદ 18345 કિલો સાથે અમદાવાદ બીજા નંબર પર, 5934 કિલો સાથે દાહોદ ત્રીજા નંબર પર, 2634 કિલો સાથે રાજકોટ ચોથા નંબર પર અને 2166 કિલો સાથે ભરૂચ પાંચમાં નંબર પર છે.આ ઉપરાંત છોટાઉદેપુર, તાપી, નર્મદા, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ અને મોરબી જિલ્લમાંથી એકપણ કિલો ગૌમાંસ ઝડપાયું નથી. તેમાં પણ પોરબંદર જિલ્લામાં ગૌમાંસ કે ગૌવંશ બન્નેમાંથી કંઈ ઝડપાયું નથી.