Mysamachar.in-જામનગર:
Lockdown ના પ્રારંભિક તબક્કાથી જ જામનગરનું વહીવટીતંત્ર ખૂબ જ કાર્યરત રહ્યું છે, પરંતુ રવિવારે જામનગર નજીકના દરેડ ગામે વસવાટ કરતા એક 14 મહિનાના બાળકને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતાં તબીબી જગત અને વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, વહીવટીતંત્રના અલગ-અલગ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે દરેડ સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા, દરમિયાન તબીબો દ્વારા યુદ્ધના ધોરણે આ બાળકના માતા પિતાના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા, અને લેબોરેટરીમા પૃથક્કરણ કરવા રવાના કર્યા હતા, પૃથક્કરણમાં આ બાળકના માતા-પિતાના રિપોર્ટ નેગેટીવ આવતા તબીબ અને વહીવટી તંત્રએ થોડી રાહત અનુભવી છે, પરંતુ શહેરમાં આ મહામારી વધુ વકરે નહીં તે માટે લોકોને ઘરમાં રહેવાની સલામત રહેવાની અને તકેદારી રાખવાની તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.