Mysamachar.in-રાજકોટઃ
રાજ્યના GSTના ચીફ કમિશનર રાજકોટ આવ્યા હતા, અહીં તેઓએ નિવદેન આપતાં જણાવ્યું કે વેટમાં લિટિગેશન ઓછા થાય, સરકારને જૂની રિકવરી મળે તે હેતુથી વેરા સમાધાન યોજના લાગુ કરી છે. આ યોજનામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓએ સૌથી વધુ લાભ લીધો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય 14 ટકા ટેક્સ કલેક્શન ગ્રોથ હાંસલ કરી નથી શક્યું, પણ બોગસ પેઢી ખોલનારની ધરપકડ કરવામાં ગુજરાત સૌથી આગળ છે. રાજ્યના જીએસટીના ચીફ કમિશનર જે.પી.ગુપ્તાએ જણાવ્યું કે બોગસ બિલિંગ પ્રકરણમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોની ધરપકડ કરી છે. ટેક્સ નહીં ભરનાર તમામની યાદી GSTના ડિપાર્ટમેન્ટ પાસે છે. જીએસટીમાં કરચોરો છટકી ન જાય તે માટે રિટર્ન નહીં ભરનાર, રિટર્ન ભર્યા બાદ ડેટા મિસમેચ થવાના મુદ્દા પર અને રિફંડના પ્રશ્નના નિરાકરણને પ્રાથમિકતા અપાઈ છે.