Mysamachar.in-જામનગર:
ક્યારેક જામનગર શહેરમા અને શહેરની આસપાસ રહેતા લોકોને એવો વિચાર પણ આવતો હશે કે,આપણે હજુ ગામડામાં જ કે પછી કઈ સદીમા જીવી રહ્યા છીએ….આ સવાલ એટલા માટે થાય કે જામનગર જિલ્લામાં PGVCL નું તંત્ર દિનપ્રતિદિન ખાડે જઈ રહ્યું છે,અને તેનો ભોગ લોકો બનવા ના છુટકે મજબુર બન્યા છે,કારણે કે આ બાબુઓ ને કહેનાર જિલ્લામાં કોઇં હોય નહિ તેમ લાગે છે,
છેલ્લા કેટલાક દિવસોથી તો જામનગર શહેરમા જાણે PGVCL ઉપાડો લીધો હોય તેમ જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યાં કલાકો ના કલાકો સુધી ખોરવાયેલો રહે છે,ગઈકાલની જ વાત કરવામાં આવે તો પટેલ કોલોની,ખોડીયાર કોલોની,રામેશ્વરનગર,નગરસીમના કેટલાક વિસ્તારો ઉપરાંત માય સમાચાર ના કેટલાક વ્યુઅર્સ જે ઉમીયાનગર લાલવાડી વિસ્તારમાં રહે છે,ત્યાં તો છેલ્લા કેટલાક દિવસોથી રોજ સવારના ૧૧ વાગ્યાથી વીજળી ગુલ થઇ ગયા બાદ ક્યારે આવે તેનું કાઈ જ નક્કી નથી..તેમ તેવો જણાવે છે,
આમ આ તો સામે આવેલા વિસ્તારોના નામોનો અહી ઉલ્લેખ કર્યો છે,ત્યારે મસમોટા ચાર્જ વસુલતી PGVCL ની કેટલીય ક્ષતિઓ તો એવી હશે જે હજુ સામે જ નથી આવી..ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોચે તે પૂર્વે PGVCL શહેર સહિતના વિસ્તારોમાં વીજકાપ અનિવાર્ય સંજોગો સિવાય ના રહે તે જોવું જોઈએ તેમ લોકોનું પણ માનવું છે.