Mysamachar.in-જામનગર:
શહેતના તમામ સોળ વોર્ડના તેમજ મુખ્ય સહિતના રોડની હાલત બદતર છે (એકાદ વિસ્તારને બાદ કરતા) ગટરો છલકે છે, સફાઇ નિયમિત થઇ નથી રહી રોગચાળાએ માઝા મુકી છે, અનેક સ્ટ્રીટ લાઇટો બંધ છે, અનેક ગટરોમા ઢાંકણા નથી કા તો તુટી ગયા છે, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફીક નિયમન નથી અને કોને ખબર ક્યાંથી કોર્પોરેશનને બીજા રૂપકડા આયોજનમા નાણા ખર્ચવા છે, ત્યારે લોકો ઝંખે છે કે ફરજીયાત સેવા પુરી કરી ઘેર-ઘેર નળ વાટે નિયમિત પાણી પહોંચાડો દવા છંટકાવ નિયમિત કરો અન્ય આવશ્યક સેવા પુરી પાડવા સતત રાઉન્ડ લઇ ખામીઓ દૂર કરવી જોઇએ, પરંતુ તેના બદલે કેમ કોર્પોરેશનની ખર્ચની ગાડી આડા પાટે વધુ ચડી જાય છે,
માટે લોકો ફરિયાદ કરતા સાંભળવા મળે છે કે પ્રાથમિક સુવિધા પુરી કરી ગાબડા લીકેજ નળ જોડાણ લાઇટ રિપેરિંગ ઢોર પકડાવા વગેરે જરૂરી ખર્ચના બદલે સાયન્સ નોલેજપાર્ક બનાવવો છે, દુકાનો હસ્તકલાની કૃતિઓના વેંચાણ માટે ભાડે આપવી છે, હાથશાળ, કુટીર ઉધોગ અને ગ્રામોધોગની વંશપરંપરાગત કૃતિઓનું કારીગરો દ્રારા સીધું માર્કેટીંગ અને વેંચાણ થઇ શકે તે માટે દુકાનો ભાડે આપવાના ઠરાવો થાય છે, પરંતુ સફાઇ લાઇટ પાણી ગટર ગાબડા લગત કામો ફરજીયાત પહેલા પુરા કરવા ઠરાવો તાકીદો હુકમો કરવાનુ સુઝતુ નથી, અને બીજા જે પ્રથમ જરૂરી નથી તેવા હુકમો થયા જ કરે છે, માટે પુરતી પ્રાથમિક સુવિધા ક્યારે પુરી પડાશે,? તેમજ ફરજીયાત સેવાઓ માટે તંત્ર ચોવીસેય કલાક ક્યારે સક્રિય રહેશે,? તેવા નાગરિકોના સવાલ છે કેમકે નોલેજ પાર્ક વગેરે જોવા પહેલા આ બધુ જ જરુરી છે.