Mysamachar.in-જામનગર:
હાલાર પંથક તેની કુદરતી દરિયાઇ સંપતિના કારણે મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે,અને રાષ્ટ્રના મીઠા ઉત્પાદનમાં મહત્વનો હિસ્સો ધરાવે છે.પરંતુ મીઠાની લીઝ પેટામાં આપી દેવાતી હોવાની સ્ફોટક રજૂઆત થતા તંત્ર ધંધે લાગ્યુ છે,જોકે ધંધે લાગ્યા બાદ ખાસ કંઇ રદ કરવા સુધીના પગલાના નિષ્કર્ષ પર તો આવ્યુ જ નથી.
જામનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલી જમીનો મીઠાના ઉત્પાદન માટે સોલ્ટ વર્કસ માટે લીઝ ઉપર આપવામાં આવેલ છે,જો કે જામનગર અને દ્વારકા જિલ્લામાં સુધી છેક ઓખા સુધી એટલે કે આમરણથી ઓખાનો સોલ્ટ છે,તેના અનેક વિસ્તારોમાં મીઠાના અગરો માટે જે લીઝ અપાયેલી છે તે જમીનો ઉપર જે-તે કંપનીઓના કે વ્યકિતઓના બદલે અન્ય કંપનીઓ કે વ્યકિતઓ દ્વારા ત્યાં મીઠાના અગરનો ઉપયોગ કરી ઉત્પાદન થાય છે,અને અમુક જમીનો તો મીઠાના અગર સિવાયના ઉપયોગમાં પણ લેવાય છે.
આ સ્થિતિમાં કુલ કેટલી સોલ્ટ વર્કસ છે, પરમીશન અપાઇ હોય તેની વિગત, કઇ લીઝ કયારે પુરી થાય છે, કેટલા વિભાગના એનઓસી લેવાયા વગેરે બાબતોની વિગતો માંગવામાં આવી છે.આ તમામ વિગતો સાથે સંકલનમાં લગત અધિકારીને આગામી મીટીંગમાં ઉપસ્થિત રહેવા તથા સોલ્ટકમિશ્નર કચેરીના જવાબદારને પણ ઉપસ્થિત રાખવા જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.પરંતુ હજુ તપાસ પૂર્ણ નહિ થઇ હોય કેમકે કંઇ જાહેર થયુ નથી..
કોઇ પગલા લેવાયા નથી… હાથ ઉંચા કરી દીધા લ્યો
મુદાસર, સનસનીખેજ, સ્ફોટક વિગતો રજૂ કરાઇ અને તેની સામે સ્પષ્ટતા મંગાઇ પરંતુ જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા લેખીતમાં જવાબ અપાઇ ગયો કે જે હેતુ માટે લીઝ અપાઇ છે તે બાબતનો ઉપયોગ તે માટે જ થાય છે કે કેમ? જેમના નામની લીઝ છે તે જ ઉપયોગ કરી રહ્યા છે કે કેમ? તે બાબતનું વેરીફીકેશન કરાયુ નથી અને પગલા પણ લેવાયા નથી આમ હાથ ઉંચા કરી દેવાતા કલેકટર દરેક મામલતદારોને તપાસ કરવા આદેશ કર્યા છે,હાલ,જામનગર તાલુકામાં પાંચ અને જોડિયામાં ૧૬ મળી ૨૧ લીઝ કાયદેસર છે.