Mysamachar.in-જામનગર:
હાલના સમયમા અમુક વખતે શિક્ષણ સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ખુલતી જાય છે..ધીકતૉ ધંધો કરે છે…અત્યાર સુધી શિક્ષણ મુખ્યત્વે સરકાર હસ્તક હતું… પરંતુ હવે ખાનગી સંચાલકોએ અનેક ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી છે.આ સંસ્થાઓ દ્વારા ડોનેશન ઉપરાંત અન્ય ચાર્જીસ માથાદીઠ ફી ને નામે મોટી રકમ ઉઘરાવવામાં આવે છે, અને વાલીઓ પોતાનાં બાળકોને મોટી રકમ ચૂકવીને ખાનગી સંસ્થામાં દાખલ કરે છે.બીજી તરફ જેમ-જેમ ખાનગી ક્ષેત્રે નોકરીઑની તકો વધતી જાય છે તેમ તેમ આવી ખાનગી સંસ્થાઓ યુવાનોની રોજગારીની જરૂરિયાતોને પહોંચી વળવામાં સફળ થઈ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ આને કારણે આવી અમુક સંસ્થાઓ ઘણીવાર પોતાના ધંધો વિકસાવવા નીતિમત્તા સિદ્ધાંતોને નેવે મૂકે છે. તેઓ ધંધાની ગેરવ્યાજબી રીતો અપનાવે છે અને શિક્ષણના વિકાસ કરવા કરતાં નફાને વધારે મહત્વ આપે છે,
શિક્ષણની આ સેવાઓ બદલ બાળકનાં વાલીઑ ગ્રાહકો તેમને નાણાં આપે છે, માટે તેઓ સેવા પૂરી પાડવા માટે બંધાયેલા છે,. માટે જ્યારે આવી શિક્ષણ સંસ્થાઓમાં આપણી અપેક્ષામાં ખરી ન ઉતરે ત્યારે ગ્રાહકો તેમની પાસેથી પોતાના નાણાનુ વળતર માંગી શકે છે,.. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓની ખામી જણાય જેમકે લાયકાત વિનાના શિક્ષકો અને અધ્યાપકોને નોકરીએ રાખ્યા હોય, માન્યતા ન ધરાવતા હોય તો પણ શાળા કોલેજો ચલાવવી (તાજેતરમા કાલાવડમા વરવાળામા આવી ઘટના બની બીજી અમુક છે જે બહાર નથી આવી) તેના થાભણભાણા થાય છે, પરંતુ તે પણ બહાર લાવવા જનહિતમા તેમજ વિદ્યાર્થીઓના ભાવીના હિતમા અને ગ્રાહક એટલે કે વાલીઓ જુદી-જુદી જંગી ફી ભરે છે તેમના હિતમાં પ્રયાસ થઇ રહ્યા છે,
ડોનેશન લેવા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે સરકારી-નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એમાંથી ધણી સંસ્થાઓને સરકાર નાણાકીય સહાય કરે છે આવી શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા મળેલી છે કે નહીં તેની વિદ્યાર્થીઓ અને વાલીઑએ ચોકસાઈ કરી લેવી જોઈએ. આવી બિનમાન્યતા ધરાવતી સંસ્થામાં આખું વર્ષ અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ન બેસવા દેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઘણાં કોર્ટ કેસો ઊભા થતા હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિ સંબંધિત દરેક વ્યક્તિએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
-ગ્રાહક કોર્ટમા કેસ કરો….
જુદા-જુદા હેડ નીચે વાલીઓ પાસેથી લાયબ્રેરી, પ્રયોગશાળા, મકાન ફર્નિચર, રમતગમતનું મેદાન જેવી પ્રાથમિક સુવિધાઓ વગેરે માટે ફી લેવાય છે, જો તે સારી અને પુરતી તેમજ નિયમ મુજબ ન હોય તો ગ્રાહક કોર્ટમા કેસ કરી શકાય તો વળી કેટલીક સંસ્થાઓએ અપનાવેલ અભ્યાસક્રમ નિયત કરેલો અથવા ધોરણસરનો હોતો નથી અને શિક્ષણનું સ્તર પણ ઘણું નબળું હોય છે. સમય વીતતા વિધાર્થીઓને સમજાય છે કે અપેક્ષા પ્રમાણેનું કંઈ જ્ઞાન મળતું નથી અને એમનો સમય વેડફાય છે. મા-બાપ, એમનાં બાળકોને સંસ્થામાંથી ઉઠાડીં લેવા તેમનો સંપર્ક સાધે ત્યારે સંસ્થાઓ વાંધો લે છે અને તેઓ લીવીગ સર્ટીફીકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ કે વર્તણૂંકનું પ્રમાણપત્ર માંગ્યા પ્રમાણે આપતા નથી, તેમજ અનામતની રકમ પરત કરવાનો પણ ઈનકાર કરે છે..આવી સ્થિતિમાં આવી સંસ્થાઓ અનામતની રકમ અટકાવી શકે નહી… કેટલાક કેસામાં સંચાલક આખા વર્ષની ફી અગાઉથી વસુલ કરે છે, અને વિદ્યાર્થી જ્યારે અધવચ્ચે સંસ્થા છાડવા માંગે ત્યારે સંસ્થાએ વસુલ કરેલ ફી પરત કરવાનો ઈન્કાર કરે છે. આ બાબતે પણ કેસ થઇ શકે તેવી જોગવાઇઓ હોવાનુ નિષ્ણાંતોએ સંપુર્ણ વિગતો આપતા જણાવ્યુ છે, કેમકે કાયદા મુજબ સંચાલકો આવું કરે તૉ તેમને તેનું વળતર ચુકવવા ફરજ પાડી શકાય છે.
-શૈક્ષણીક સંસ્થાઓ માટેની બાબતો વાલીઓ જાણે
સંચાલક જ્યારે માન્યતા ન ધરાવતી હોય એવી શૈક્ષણિક સંસ્થા ચલાવે ત્યારે આવા કેસમાં વિદ્યાર્થીઓ આખુ વર્ષ ભણ્યા પછી અથવા થોડાં માસ ભણ્યા છતાં પરીક્ષામાં બેસવાને પાત્ર ન બને તે માટે સંસ્થાને જવાબદાર ગણી શકાય અને ક્યારેક ખાસ કિસ્સામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે પણ વાલીઑ કોર્ટમાં જતા હોય છે . લાયકાત વિનાના શિક્ષકો રોકવાથી અને અપૂરતી અથવા જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓ સંસ્થા દ્વારા પૂરી ન પાડવામાં આવે ત્યારે સંસ્થાની સેવાની આવી ઉણપ બદલ સંચાલક સામે ફરિયાદ કરી શકાય.
કેટલીક સંસ્થાઓ તાલીમનો સમય પૂરો થવાની સાથે જ ભારતમાં અને વિદેશમાં નોકરી આપવાનાં વચનો આપે છે, અને વિદ્યાર્થીઓ પાસેથી અસાધારણ ફી વસૂલે છે. પરંતુ તાલીમ પૂરી થયા પછી વિદ્યાર્થીને સમજાય છે કે તાલીમ કશી જ ઉપયોગી નથી અને નોકરી પણ મળતી નથી આવી પરિસ્થિતિમાં વિધાર્થીઓને થયેલા નુકશાન બદલ તે ફરિયાદ કરી શકે છે, જ્યાં રહેવાની સગવડ અપાતી હોય તેવી નિવાસી શાળાઓમાં આરોગ્યપ્રદ ખોરાક આપવાની અને અન્ય તમામ સગવડતાઓ આપવાની જવાબદારી સંસ્થાની રહે છે. નિવાસ વેળા વિદ્યાર્થીઓની પુરતી સલામતી જળવાય તેવી વ્યવસ્થાકરવી ફરજિયાતછે. કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓની અવરજવર માટે ખાનગી બસની સુવિધા રાખે છે. ક્યારેક ડ્રાઈવરોની બેદરકારીને લીધે કોઈ દુર્ઘટના બને તો વિદ્યાર્થીઓએ સહન કરવું પડે છે. પોતાના કર્મચારીના કૃત્ય બદલ બીજાની જવાબદાર ગણવાને બદલે સંસ્થા તેમાં જવાબદાર બને છે અને વળતર ચૂકવવા માટે ફરજ પાડી શકાય છે.
અમુક સંજોગોમાં ભયજનક ગણાતા અગ્નિ, પાણી અથવા વીજળી સંબંધમાં નાના શીશુઓ અને ખાસ કરીને ૫ વર્ષથી નીચેનાં બાળકોની વધુ સંભાળ રાખવી જોઈએ. બાળકને થોડી સેકન્ડ પૂરતા પણ એકલા પડવા ન દેવા જોઈએ. નહીંતર કંઈક થઈ જાય તો ભયજનક બની શકે માટે સંસ્થાએ સાવધ રહી અને નિયમો તથા કાર્યપદ્વતિનું પાલન કરવું ફરજિયાતછે. એકંદર વાલી એટલે કે ગ્રાહકોએ જાગૃત રહેવુ તેમજ આવી અનેક બાબતે તેમજ મદદનીશ નિયામક તોલમાપ અને ગ્રાહક સુરક્ષાની કચેરીમાંથી વિગતો વખતો વખત વિગત મેળવતી રહેવી જોઇએ તેમ નિષ્ણાંતો વધુમા ઉમેરે છે.