Mysamachar.in-જામનગર:
જામનગરના અમુક પંકાયેલા નાયબ મામલતદાર કે તલાટી કોઇ ચોક્કસ "હિત" કે " લાભ" માટે "કળા" કરતા હોય છે, જેનાથી સમગ્ર રેવન્યુ ડીપાર્ટમેન્ટ બદનામ થાય છે. અંતે સરકારી નીતિનિયમો પ્રક્રિયાઓ જોગવાઇઓના હિત જળવાતા નથી હોતા આવા પગલા જઘન્ય અપરાધની વ્યાખ્યામા કદાચ લઇ શકાય તેવો વધુ એક કિસ્સો ધ્યાનમા આવ્યો છે જોકે બહાર આવ્યો નથી, જામનગરમા ડીઝાસ્ટર શાખાના હાલના મામલતદાર જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર હતા ત્યારે મોખાણામા એક અરજદારને મળેલી એકતાલી જમીન રી-ગ્રાન્ટ કરવા તલાટી સાથે રોજકામ માટે વીઝીટ કરવા ગયેલા ત્યારે ખેત ઉત્પાદન થઇ રહ્યાનો રિપોર્ટ તેમની ઉપલી ઓથોરીટી સુધી મોકલી આપ્યો ઉચ્ચ અધીકારીઓએ ભરોસો રાખી આ જમીન રીગ્રાન્ટ હુકમના સ્ટેજે પ્રકરણ રાખ્યુ હતુ,
તેવામા વર્ષો બાદ ગ્રામ્ય પ્રાંત અધીકારીને આ મામલે અને મળેલી માહિતીઓને આધારે કંઇક વધુ ચોક્સાઇ કરવાનુ સુઝ્યુ અને બીજા નાયબ મામલતદારને સ્થળ તપાસ માટે મોકલ્યા તો ચિત્ર ઉલટુ જ નીકળ્યુ…એ જમીન જ્યા ખેત ઉત્પાદન થઇ રહ્યાનુ દર્શાવેલુ ત્યા તો ટેકરાળ અને ખાડા ખડબા બધુ જ હતુ, જાણે ખેતીનું તો નામો નિશાન જ ન હતુ….. માટે બીજા નાયબ મામલતદાર ગયા તેમણે એ સાચી સ્થિતિનો રિપોર્ટ પ્રાંત અધીકારીને સોંપતા ચોંકી ઉઠેલા અધીકારીએ જે-તે વખતે રોજકામ કરવા ગયેલા નાયબ મામલતદાર હાલના ડીઝાસ્ટર મામલતદાર અને તે વખતના હાલમાં પણ ફરજ બજાવતા તલાટીના નિવેદનો નોંધવાની કાયર્વાહી કરી અને જરૂરી રીપોર્ટ કલેકટરને મોકલ્યાનું જાણવા મળે છે,
સમગ્ર મામલો દર્શાવે છે કે આ પ્રકારે અનેક પરવાના, પ્રમાણપત્રો, સનદો વગેરેના કિસ્સાઓમા આવુ થતુ હોય તો કોને ખબર પડે? દરેક સ્થળે ઉચ્ચ અધીકારી પહોંચી ન શકે એ સ્વાભાવિક છે, અને તેમાય રેવન્યુમા ખાસ કરીને જમીન સહિતના મામલે એકડો તલાટીથી ઘુંટાતો હોય છે, તેના ઉપર પ્રકરણોની ફાઇલો બનતી જાય છે, મોટાભાગે તલાટીઓ પ્રમાણીકતાથી જ કામ કરતા હોય છે, પરંતુ રેવન્યુમા રહેલા બે-ત્રણ તલાટીઓના કારણે ડીપાર્ટમેન્ટનુ નામ બગડી શકે છે, વળી આ નાયબ મામલતદાર જેમણે જે તે વખતેનુ ખેતીનુ રોજકામ કરેલુ તેના બીજા પણ સંવેદનશીલ પ્રકરણો છે, જેની વિગતો સુત્રોમાંથી સાંપડી રહી છે જેની ખરાઇ થયે તબક્કા વાર mysamachar ના વ્યુઅર્સ માટે પબ્લીશ થતી રહેશે, ત્યારે બીજી તરફ રીટાયરમેન્ટની નજીક રહેલા આ હાલના ડીઝાસ્ટર મામલતદારને ભય પેસી ગયો છે કે જો બધી કળાઓ ખુલ્લી પડે તો પેન્શનમા મુશ્કેલી સર્જાય માટે પોતાના કરેલા કારસાઓ ખુલ્લા ન પડે તે માટે તેના ખાસ ત્રણ તલાટીઓ જેમના પાસે બધી કળાઓ કરાવી હોય તેમને એલર્ટ કર્યા છે, જેમાંથી એક હાલ લાલપુર છે જેનુ “સહી કૌભાંડ” દબાઇ ગયુ છે,
સમગ્રપણે આ અને આ સિવાયના બીજા પણ પાંચ કર્મચારીઓની પોતાના લાભ માટે ગેરરિતી પ્રકારની કાર્યવાહી કરેલ છે, તેમની પણ બીજી વિગતો અલગથી ઉજાગર થનાર હોવાનુ ખાસ સુત્રોએ જણાવ્યુ છે હાલ જોકે નિષ્ફિકર રહેતા સંડોવાયેલાઓને અહેવાલની અસરથી ગડગડીયુ કે ઘાત આવશે ત્યારે ગંભીરતા સમજાશે તેમ પણ જાણકારોનુ માનવુ છે, ત્યારે જે કોઇ ભાગબટાઇમા નીચેના કે ઉપરના સાથે રહ્યા હોય તે કોઇ હાથ ઝાલશે નહી માટે જ બને ત્યા સુધી આવા સંવેદનશીલ પ્રકરણો દબાવવા પંકાયેલા અમુક કર્મચારીઓ ઝાવા મારી સલામતીના ખોટા આશ્ર્વાસન લે છે તે તમામની ઠોસ વિગતો થયેલ અહેવાલ ઉપરાંત કદાચ જિલ્લા સમાહર્તાને જણાવવા પણ કોઇ પહોચે તો નવાઇ નહી તેવી એક શક્યતા પણ જાણકારો જુએ છે.