Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામા પવનચક્કીએ ફરી રાષ્ટ્રીય પક્ષીઓનો ભોગ લેતા હાહાકાર થયો છે, અને આ બાબતે જાગૃત નાગરીકે કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને ટ્વિટર થી સંદેશો મોકલ્યો છે, અગાઉ પણ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામા રાષ્ટ્રીયપક્ષીના મોત અંગે જવાબદાર કંપની સામે ફોજદારી કરવા પોલીસ સ્ટેશનમા વિધીવત અરજી દાખલ થઇ હતી, પણ ના તો ફોરેસ્ટવિભાગ કે ના જામજોધપુર પોલીસે દાખવવો જોઈતો રસ દાખવ્યો હોવાનું સામે આવતું નથી, જામજોધપુરના ચુર ગામમાં ઓપેરા વિન્ડફાર્મનુ કામ ચાલે છે, તેના પાવર ઉત્પાદન વહનની લાઇનો નંખાયેલી છે, જે વીજપોલ અને વીજ વાયરમા કરંટ આવતા હોય છે, ત્યારે ધડાકા જેવો અવાજ થતા ગ્રામજનો દોડી આવેલા અને ત્યા જોયુ તો બે મોર આ વીજકરંટવાળી લાઇનથી અથડાઇ મૃત્યુ પામી પડેલા હતા, માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, સમગ્ર મામલે રાષ્ટ્રીય પક્ષી મોરના અકાળે મોત થયા હોઇ સરપંચ દિનેશસિંહ જાડેજાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમા વિગતવાર અરજી આપી ઓપેરા કંપની સામે ફોજદારી કરવા માંગ કરી હતી જેમા કંઇ કામગીરી થઇ નથી અને થઇ હોય તો સામે આવ્યું નથી,
ત્યા વળી અન્ય એક પવનચક્કી કંપની જે જામજોધપુરના આલેચ વિસ્તારમાં છે જ્યાં ટાવર છે, વાયર છે, તેમજ તાર છે અને કરંટ છે તેમા રાષ્ટ્રીય પક્ષી મોર અથડાતા તેમના મોતથી અરેરાટી ફેલાઇ છે, જુદી-જુદી પવનચક્કીઓના કારણે અવારનવાર વીજ શોક, જોખમી ખુલ્લા પોલ અને વાયર, ટોટા ફોડવાના ત્રાસ, રસ્તા ન કરવા, પવનચક્કીઓના ત્રાસદાયક અવાજ, ઉપરથી જોહુકમી અને તંત્રનુ અકળ કારણોસર મૌન આ દરેક બાબતે ઉચ્ચકક્ષાની તપાસની તાતી જરૂર છે, તેવી પણ જામજોધપુર પંથકમાંથી માંગણી ઉઠી છે.તેમજ રક્ષણાત્મક કોઇ પણ પ્રકારની આડશ કે દિવાલ (ભલે તે કરવુ અઘરૂ પણ છે)કરી પશુ પંખી માનવ જિંદગી બચાવવા માંગ ઉઠી છે. જોકે mysamachar એ આ ગંભીર બાબતે અધીકારીઓનો સંપર્ક કરતા તપાસ થાય અને જીવ મરતા બચે તે દિશામા શુ થઇ શકે તે શક્યતાઓ જોવાની ખાત્રી આપી છે, પરંતુ આ જવાબદારી તો પવનચક્કીઓવાળાની છે તેમાંથી મોટા ભાગના કોઇ પણ નુકસાની અંગે ગંભીરતા નથી લેતા હોવાની ખુબ ફરિયાદો ગ્રામજનોમાંથી ઉઠી છે.