Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશને સાત લાખની વસ્તીની સુખાકારીની ચિંતા કરવાની છે,અને તે મુજબ વ્યવસ્થા કરવાની છે…જેથી લોકો સવલત અને સલામતીનો અહેસાસ થાય પરંતુ અહી તો ઉલટુ છે કોર્પોરેશનને પોતાની જમીન હડપ થઇ જવાની ભીતી છે…લ્યો બોલો આમા લોકો શુ આશા રાખે?
નોન ટીપી વિસ્તારોમા લેઆઉટ મંજુર કરે તેમા કોર્પોરેશનને ૩૫ ટકા જમીન મળે છે,હવે જોકે નવા જીડીસીઆર મુજબ ૪૦ ટકા કપાત મળે છે,આ રીઝર્વ લેન્ડનો કબજો કોર્પોરેશને લેવાનો હોય છે જુદા જુદા લોકેશન ઉપર મળી ને કુલ ૩૦૩૬૫.૭૮ ચો.મી. જગ્યા ના પ્લોટ રૂપે છે,એટલે કે ૩ લાખ ચોરસમીટર થી વધુ જગ્યા છે,જેમાંથી ૪૦ ટકાથી વધુ ગાર્ડન માટે રખાઇ છે( ગાર્ડન તો થાય ત્યારે સાચુ). પરંતુ કોર્પોરેશનની ઓફીશીયલ નોંધ મુજબ આ ફાજલ મળેલી જમીન ખુલ્લી પડી હોઇ તેમા દબાણ થવાની શક્યતાઓ છે,અથવા તો આવી ખુલી જગ્યાઓનુ અનઅધીકૃત વેંચાણ થઇ જવાની ભીતી રહેવા પામે છે,તેમજ સ્ટાફના અભાવે દેખરેખ રાખવી શક્ય નથી હજુ તો આવી જમીનો મળતી જ રહેવાની છે.
-લગડી જમીન વેંચવાનો કારસો
એકંદર તમામ પ્રકારના ભયસ્થાનો દર્શાવીને લગડી જમીન વેંચવાનો કારસો છે,અને તે પણ લાગતા વળગતા ને જ વેંચાતી આપવાની તમામ ગતિવિધી છે,તેમ જાણકારો જણાવે છે..કેમ કે ૧૭૩૦૫.૨૨ ચો.મી. જગ્યા હરરાજીથી વેંચાણ કરવા કોર્પોરેશને નિર્ણય લીધો છે.
-ફેન્સીંગ માટે પચાસ લાખનુ તો આંધણકર્યુ
મહાપાલીકાના આ ફાઈનલ પ્લોટમા વાયર ફેન્સીંગ કરવાના કામ અંગે પચાસ લાખનો ખર્ચ કરવામા આવ્યો છે,છતાય પ્લોટ હડપ થવાની દબાણ થવાની ભિતિ છે,આના ઉપરથી સમજી શકાય કે લોકોના ખુલ્લા પ્લોટનુ શુ થતુ હશે?