Mysamacha.in-જામનગર:
જામનગર પોલીસ એક હત્યા કે લુંટનો ભેદ માંડ ઉકેલે છે ત્યાં જ બીજી ઘટના સામે આવી જતી હોય તેમ લાગે છે, લાલપુરના ખાયડી ગામે થયેલ સિક્યુરીટીગાર્ડની હત્યાનો ભેદ આજે પોલીસે ઉકેલ્યો ત્યાં જ લાલપુરના નવાણીયા ગામે વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ છે,પ્રાથમિક વિગતો મુજબ નાનકીબેન તડવી નામની ૨૭ વર્ષીય મહિલાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાની બનાવની જાણ થતા ડીવાયએસપી સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો અને તપાસ આરંભી છે.