Mysamachar.in-જામનગર:
જામનગર પીજીવીસીએલ સર્કલમા ટ્રાન્સફોર્મર કૌભાંડ ફરી આળસ મરડે છે કેમકે અગાઉના કૌભાંડમા માત્ર બદલી થઇ અને ચાર્જશીટ આપી લગતના ખુલાસા પુછાયા બાદ સમગ્ર પ્રકરણ માથે ધુળ વાળી દેવાઇ…પરંતુ તેમાંથી દાખલો લઇ બીજા પણ આવી ગેરરીતિઓ માટે થનગનાટ સાથે કુદી પડ્યા છે અને વધુ કૌભાંડ આકાર લઇ જ રહ્યાનુ અમુક ચબરાકોનુ અનુમાન છે, લાંબા સમયથી આ સર્કલને ટ્રાન્સફોર્મરથી જંગી કમાણીનુ સાધન અમુકએ બનાવ્યાના છડેચોક આક્ષેપ થાય છે, કેમ કે સ્ટોક મેઈન્ટેન થતો નથી અથવા કરાતો નથી છેલ્લા બાર મહિનાનો સાર જોઇએ તો ૨૦૦ ટ્રાન્સફોર્મરોની ઘટ આવે છે, એના સ્ટોક મેન્ટેનન્સ ની અધીક્ષક ને ખબર નથી વામનને ખબર છે એ ઢાંક પીછોડા કરે છે, અને સંડોવાયેલાઓને બચાવે છે,
વળી કોર્પોરેટમાંથી તપાસ આવી તો (પણ વામન જે પ્રથમ કક્ષમા બિરાજમાન અને ખરા અધીક્ષક સમકક્ષ હોવાની સ્ટાફમા મજાક થઇ રહી છે) તેને એ ટીમને ગુમરાહ કરી ( જેમ ઘણા રિપોર્ટીંગમા કરે છે તેમ) તો વળી ૩૭ ટ્રાન્સફોર્મરોની ચોરી થઇ ગઇ ૭૦૦૦૦ કિંમતના આટલા ટ્રાન્સફોર્મરના ગોટાળા છતાય કોઇના પેટનુ પાણી હલતુ નથી તેમ જણાવી સુત્રો ઉમેરે છે કે અધીક્ષક તો કોઇ પણ બાબતોથી કિનારો જ કરી લેતા હોય..!
મારેય નહી ને ભણાવે ય નહી તેવા ઘાટ વચ્ચે સમગ્ર એટલે કે બંને જિલ્લામાં મળીને આઠ-દસ કર્મચારીઓ પોતાને જ અધીક્ષક સમજવા લાગ્યા છે તેમાં અધિક્ષક કચેરીને સમાન બિરાજતા “વામન” મોખરે છે, બીજી તરફ બેડેશ્ર્વરમા ૧૨૫ સ્માર્ટ ટીસી મિસિંગ છે( જે લોસ ઘટાડવા લગાવાના હતા) છતા પગલા જ નહિ એકની કિંમત પચાસહજાર થાય છે, ઉપરાંત અમુક બદલવાની ખાસ "પ્રેક્ટીસ" વચ્ચે સામાન્ય રિપેર કરી ફરી એ જ રિપ્લેસ કરવાની ગેરરીતિની તપાસ થવી જોઇએ તેમ પણ જાણકારો શંકા સાથે જણાવે છે, આ એક એવી પ્રેક્ટીસ છે કે જેમા લાગતા વળગતા ચોક્કસને બખ્ખા જ છે.