Mysamachar.in-જામનગર
કોર્પોરેશનમા અમુક અધીકારીઓ અને કર્મચારીઓ જેમા મિલકતવેરા, વોટર વર્કસ, ભુગર્ભ, એકાઉન્ટ, સોલીડવેસ્ટ વગેરેના સ્ટાફનો સમાવેશ થતો હોય તેવા અમુકની સામે તપાસ પુરી જ થતી નથી થતી, આવા ૧૩ અધીકારીઓ કર્મચારીઓ છે જેની સાથે વગે વાવણા કરવામા આવે છે. આ જવાબદારોની ગંભીર બેદરકારી કે ગેરરીતીઓ અંગે તેઓની સામે તપાસ પુરી થતી જ નથી તે બાબતે સ્ટેન્ડીંગ કમીટીએ છેલ્લા ઓડીટ રિપોર્ટ પરથી ગત વખત જેવો જ રીમાર્કસ કર્યા છે કે અગાઉ ૨૮ પેન્ડીંગ હતી ઇન્ક્વાયરી તેમા ૪ નો ઉમેરો થયો અને ૧૯ સામે ઇન્ક્વાયરી પુરી થઇ છે જોકે જાણકારોના મતે જેની સામે તપાસ થઇ તેની બાબતો ભલે જાહેર નથી થયુ પરંતુ ગોટો વાળી દેવાયાનું ચર્ચાય છે, બીજી તરફ સ્ટેન્ડીંગ ચેરમેનની રાબેતા મુજબની સુચનાઓ છતાય બે વર્ષથી ૧૩ કર્મચારીઓ અધીકારીઓ સામેની તપાસ પુરી જ નથી થતી….!