Mysamachar.in:જામનગર
સી.એમ.સેતુ યોજના અંતર્ગત જી.જી.હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સેવા આપવાના છે. જેમાં ડો.વિરલ વ્યાસ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ સોમવાર, બુધવાર અને ગુરૂવારના રોજ ૦૪:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં.૧૯ ખાતે, ડો. આમિર કાઝમી કાર્ડિયાક સર્જન પહેલો અને ત્રીજો શનિવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન ન્યુ બિલ્ડીંગ રેડીયોથેરાપી ઓ.પી.ડી. ખાતે, ડો.રોમીન સંઘવી સ્પાઈન સર્જન મંગળવાર અને શુક્રવારના રોજ ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં.૧૦ ખાતે, ડો.નિશાંત ધરસંડિયા પીડીયાટ્રીક હિમેટો ઓન્કોલોજીસ્ટ મહિનાનો પ્રથમ શુક્રવારના રોજ ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન પીડીયાટ્રીક ઓ.પી.ડી. ખાતે,
ડો.પુજન શાહ કાર્ડીઓલોજીસ્ટ મહિનાના ચોથા શનિવારના રોજ ૦૯:૦૦ થી ૧૨:૦૦ જુના tmt રૂમ ખાતે, ડો.અમિતકુમાર ઝા યુરોલોજીસ્ટ ત્રીજા ગુરૂવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં.૨૪ ખાતે,ડો.તેજસ કરંગીયા વાસ્કકયુંલર સર્જન મહીનાના ત્રીજા મંગળવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં.૨૫ ખાતે, ડો.જયરામ પ્રજાપતિ કાર્ડીઓલોજી બુધવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન જુના tmt રૂમ ખાતે, ડો.અમિત સીતાપરા પીડીયાટ્રીક સર્જન મહિનાના પ્રથમ શુક્રવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ પીડીયાટ્રીક ઓ.પી.ડી. ખાતે, ડો. રુચિરમહેતા વીટ્રીઓ-રેટાઈનાં સ્પેશ્યાલીસ્ટ મંગળવારના રોજ ૦૪:૦૦ થી ૦૬:૦૦અને ગુરૂવાર-શુક્રવારના રોજ ૦૯:૦૦ થી ૧૧:૦૦ ઓ.પી.ડી. નં.૨૭ ખાતે, ડો.પ્રશાંત વણઝર ઓન્કોસર્જન પહેલા અને ત્રીજા શનિવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ ન્યુ બિલ્ડીંગ ખાતે, ડો.કુલદીપ પરમાર ઓર્થોપેડીક બુધવાર અને શુક્રવારના રોજ ૦૯:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં.૧૦ ખાતે અને ડો.નિલેશ કથીરીયા કાર્ડીયોલોજી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારના રોજ ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન જુના tmt રૂમ ખાતે સેવાઓ આપવાના છે. તો જાહેર જનતા તથા દર્દીઓને આ સુપર સ્પેશ્યાલીસ્ટ/ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોનો લાભ લેવા તબીબી અધિક્ષક જી.જી.હોસ્પિટલ જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.