Mysamachar.in:જામનગર:
જામનગરમાં વીજવિભાગના એક સબડીવીઝનના નાયબ ઇજનેરની જોહુકમી સામે જાણે "બોસ" લાચાર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જામનગર વીજ સર્કલના અધિક્ષક ઇજનેર સમક્ષ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના કિશોરભાઇ મજીઠીયા સહિતના હોદેદારોએ રજુઆત કરી છે કે PGVCL ના સીટીના સેન્ટ્રલ ઝોન ના નાયબ ઇજનેર વંદનાબેન કગથરા દ્વારા ગરીબોને પરેશાની કરાય છે માટે તપાસ કરવા માંગણી થઇ છે,
મંડળના જણાવ્યા મુજબ કે જુના રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે⚖ તેઓ આર્થિક રીતે ખુબ ગરીબ અને પછાત છે ડેપ્યુટી ઈજનેર વંદનાબેન કગથરા દ્વારા વીજ ગ્રાહકોની કોઈપણ વાત સાંભળવામાં આવતી નથી ગ્રાહકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે હાલના તબક્કે આર્થિક મંદીના સમયમાં વીજ કનેક્શન કાપતા પહેલા ગ્રાહકોની જાણ કરવી ખૂબ જ જરૂરી છે વંદનાબેન દ્વારા ગ્રાહકોને જાણ કર્યા વગર ગરીબ માણસોના વીજ કનેકશન કાપી નાખવામાં આવે છે તેમજ વીજ કનેક્શનના સર્વિસ વાયર સળંગ વાયર હોય તેના કટકા કટકા કરી નાખી અને એવી રીતે ઉતારાય છે જેથી ગ્રાહકોને પાછો વીજવાયર ફરીથી નાખવો પડે વીજવાયર ની રકમ ગ્રાહકોને ખોટી રીતે ચૂકવવી પડે આ ગ્રાહકોને નુકસાન કરતા છે,
તેમજ ગ્રાહકો દ્વારા બિલની રકમ ભરવામાં આવે તો અડધી રકમ સ્વીકારાતી નથી જેથી pgvcl બોર્ડને પણ નુકશાન કર્તા છે pgvcl બોર્ડ દ્વારા લોક અદાલતમાં કેસ મૂકીને સમાધાન કરવામાં આવે છે પરંતુ આ વંદનાબેન દ્વારા ૫૦ ટકા રકમ સ્વીકારતા નથી અને ઘરના કાયદા ચલાવે છે, આથી ગ્રાહકોને નુકસાન છે અને pgvcl બોર્ડને પણ નુકસાન છે ગ્રાહકો પાસેથી પૈસા આવતા નથી pgvcl બોર્ડને પૈસા મળતા નથી અને ગ્રાહકોને કારણ વગર અધિકારીઓની દાદાગીરીને કારણે અંધારા માં બેસવું પડે છે અને વીજ ગ્રાહકો પરેશાન થાય છે માટે આવા વીજ ગ્રાહકોને નુકસાન કરતા તેમજ pgvcl બોર્ડને પણ નુકસાન અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવી જરૂરી છે તેવી માંગ થઇ છે.