Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
છેલ્લા કેટલાક દિવસથી ઠંડીની તિવ્રતામા લોકો કાયદેસર અકળાયા છે, ત્યારે mysamachar દ્વારા ભોગૌલીક નિષ્ણાંતો, પર્યાવરણ નિષ્ણાંતો અને આયુર્વેદ તેમજ આરોગ્ય નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવ્યા… હાલાર સહિત સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતના મોટા ભાગના વિસ્તારોમા મુશળધાર અને નુકસાન કરનાર ત્રાસદાયક ચોમાસુ વેઠ્યુ અને થોડા દિવસ સમતોલ ઋતુ રહિ ત્યા ઠંડીએ ડીસેમ્બર એન્ડ થી આક્રમણ કરવાનુ શરૂ કર્યુ ને મુકામ કર્યો.. ભોગૌલિક રીતે જોઇએ તો ઠંડા કે ગરમ પવનો પર્વતો રોકતા ટેકરાળ પ્રદેશો કાંતો જંગલો રોકતા પરંતુ એક તો ટેકરા પર્વતો જંગલના નિકંદન નીકળ્યુ તેના કારણે ઠંડા કે ગરમ કોઇ પવન રોકાતા ન હોય ગરમ હવા ઠંડી હવા અને વરસાદી વાદળો ગમે ત્યા તિવ્રતા બતાવે છે,
ગ્લોબલ વોર્મિંગએ ગ્લેસીયર ઓગાળ્યા દરિયાની સપાટી તો વધારી પરંતુ ધુમાડા ગેસ કચરાએ વાતાવરણમા પ્રદુષણ વધારતા કુદરતી સંતુલન ખોરવ્યુ અને ઋતુઓના કોપ કે પ્રકોપ વધ્યા… બીજી તરફ આયુર્વેદમા દર્શાવ્યુ છે ઋતુઓના હીન, અતિ, મિથ્યા ત્રણેય યોગ નુકસાન કરે છે. હીન એટલે ઓછુ દરેક ઋતુ ઓછી રહે તો પણ પ્રાકૃતિક સંતુલન બગડે તેવી રીતે અતિ એટલે વધુ ઋતુ હોય તો પણ નુકસાન અને મિથ્યા એટલે શિયાળામા ગરમી કે વરસાદ ચોમાસામા ખોટી ગરમી કે ઠંડી આવા યોગ જોતા પ્રાકૃતિક સંપદાઓ જાળવવી પડશે, પ્રદુષણ ઘટાડવુ પડશે, ખનીજ હવાની શુદ્ધતા ઓઝોનના પડ બચાવવા પડશે, વૃક્ષોના જતન કરવા પડશે, નદીઓ ચોખ્ખી રાખવી પડશે, નહી તો આ વખતે ચોમાસાના પ્રકોપ માવઠા અને ઠંડીના પ્રકોપ વગેરે જે થયા તેવા થતા રહે તો માનવ સહિત દરેક જીવ સૃષ્ટી માટે અને મુળ આધાર ખેતી અને પાણી (તળ) ખોઇ બેસવાનો વારો આવશે…
બેદરકારી લોભ પ્રલોભ અને કુદરતી સંપતિની ચોરી કે નિકંદન કલ્પના બહારનુનુ નુકસાન કરતા પ્રકૃતિમાં ઇબેલેન્સ થાય છે, બીજી તરફ પ્રાકૃત જીવન પદ્ધતિ સમયસર સુવુ અને જાગવુ શ્રમ કરવો યોગઅપનાવવા ખોરાકના ઋતુ મુજબ અયોજન અને વ્યસન તો બિલકુલ નહી આવુ અનેક જાળવવુ પડે પરંતુ મોટાભાગે એવુ થઈ રહ્યુ નથી માટે પ્રતિકારકતા ઘટતા ઋતુઓ વધુ અકળાવે છે, એકંદર પ્રદુષણ અને અનિયમિતતા તેમજ ખાનપાન પરેજીની જાળવણી ન થવી અને પ્રાક્રતિક સંપદાના નિકંદન વગેરે થી આવા કોપ પ્રકોપ હજુ વધતા રહે તો નવાઇ નહી તેવા સાર નિષ્ણાંતોના અભિપ્રાયનો છે.