Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા શહેરમાં રખડતા શ્વાન અંગે કરવી જોઈતી કાર્યવાહી એટલે કે ખસીકારણ સહીતની કામગીરી છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દીધેલ છે, પરિણામે શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો ત્રાસ વધતો જ જાય છે, એવામાં આજે સવારના સમયે ઇન્દિરામાર્ગ રોડ આસપાસ થી પસાર થતા ડઝનેક લોકોને હડકાયા શ્વાન કરડી ખાતા તમામ ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.