Mysamachar.in-જામનગર:
અનેક વિશેષતા ધરાવતા જામનગર કોર્પોરેશનના આવકના અંદાજો ખોટા પડે છે, અને અવિરત ખોટા પડે છે તેમાંય સરકારી ગ્રાંન્ટ સહાય વગેરે મોડા વેલા થાય એ સમજી શકાય પરંતુ કોર્પોરેશને જાતે વસુલવાના વેરામા અંદાજ ખોટા પડે છે, અને માત્ર જુજ જ વસુલાત થાય છે..! સામે ખર્ચ તો વધતા જ જાય છે, સામાન્ય રીતે દસ ટકા વેરીએશન કદાચ આવે પરંતુ કોર્પોરેશન ના બજેટમા ૩૦….૪૦….કે ૫૦ ટકા આવકની ઘટ આવે સામે ખર્ચના અંદાજમા વધારો થયા કરે છે.
પ્રોપર્ટી ટેક્સ માટે ગત વર્ષની આવકનો અંદાજ ૬૭ કરોડથી વધુ આવકનો અંદાજ હતો તેની સામે ૪૫ કરોડ જેટલી જ આવક થઇ વ્યવસાય વેરાની ૭ કરોડની વસુલાતનો અંદાજ પુરો ન થયો તેની સામે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમા ત્રણ કરોડથી વધારો થયો છે, માટે જાણકારો કહે છે કે તમે અંદાજની નજીક ન રહિ શકો તો અંદાજપત્ર શા માટે બનાવો છો?? કહેવાતા નિષ્ણાંતો આકડાની માયાજાળ રચી જનતાના નાણામા ટ્રસ્ટી હોવા છતા હિસાબ સાથે જેમને કંઇજ લેવા દેવા નથી તેવા લોકો સુધારો કરવાનો પુર્વયોજીત પ્રતિકાત્મક સુધારો કરી પોતાના અહમ સંતોષે છે અને વાસ્તવિકતા થી દૂર રહેતુ બજેટ બાદમા ધુળ ખાય છે.