Mysamachar.in-જામનગર:
જ્યારથી કોરોના વાયરસની દહેશતની વાત છે, ત્યારથી જામનગર કલેક્ટર રવિશંકર દિવસ રાત એક કરીને સમગ્ર જીલ્લાના અધિકારીઓની ટીમો સાથે સતત મીટીંગો, શહેરના રાઉન્ડ, વગેરે બાબતો એ નાનામાં નાની તકેદારી આ રોગને ફેલાતો અટકાવી શકાય તેના માટે કલેકટર દ્વારા લેવામાં આવી રહી છે, અને તેવો આ અંગે જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને લોકોને આપતા રહે છે, ત્યારે ગત સાંજે પણ કલેકટર રવિશંકર અધિકારીઓ સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા, તેઓ દ્વારા સ્વીફટ માર્ટ, શાકભાજીની દુકાનો, રિલાયન્સ મોલ અને ગ્રેઈન માર્કેટની કરિયાણાની દુકાનોમાં તપાસ કરવામાં આવી. લોકોને દુકાન પર અંતર જાળવી વસ્તુઓ ખરીદવાનું સૂચન કરાયું તેમજ દુકાનના માલિકોને લોકોને અંતર જાળવવા રાઉન્ડ બનાવી લોકોને તેમાં ઉભા રાખવા સુચના આપવામાં આવી. આ ફ્લાઈંગ વિઝિટમાં જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, પુરવઠા અધિકારી કેયુર જેઠવા વગેરે અધિકારીઓ ઉપસ્થિત હતા.