Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકામાં સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ સતત ને સતત વધી રહ્યા છે, એવામાં વધુ એક મહિલાની હત્યા નીપજાવવામાં આવ્યાનો ખુલાસો થવા પામ્યો છે, વાત એવી છે કે આજ થી એક વર્ષ પૂર્વે કલ્યાણપુર ના ભોગાત ગામે વસવાટ કરતા રણમલભાઈ ભાચકનની ભત્રીજી રાણીબેન જેની ઉમર વીસ વર્ષની હતી તે ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનો દ્વારા ગુમ થયાની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી, દરમિયાન ગુમ રાણીબેનની લાશ ગોકલપર ગામના પાટીયા પાસે આવેલ ધરમશી સોનગરાના ખેતરના કુવામાંથી મળી આવી હતી, રાણીબેનનો મૃતદેહ જ્યારે એક વર્ષ પૂર્વે મળી આવ્યો ત્યારે પોલીસે કબજો સંભાળી અકસ્માતે મૃત્યુનોંધ દાખલ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટે જામનગર ખાતે મોકલ્યો હતો, જે-તે સમયે લાશ કુવામાંથી મળી આવતા પ્રથમ દર્શનીય રીતે હત્યા થયાનું જણાઈ આવતું નહોતું પણ બનાવના એક વર્ષ બાદ ફોરેન્સિક સાયન્સના વિસ્તૃત રીપોર્ટમાં મોતના કારણમાં રાણીબેનને કોઇ અજાણ્યા ઇસમ અથવા તો ઇસમોએ માથામા કોઇ બોથડ પદાર્થ કે હથીયાર વડે મરણતોલ માર મારી તેણીનુ મોત નિપજાવી લાશ પાણી ભરેલ કુવામા નાખી દઇ તેનુ ખુન કરી નાખ્યાનું ખુલતા રાણીબેનના કાકા રણમલભાઈ દ્વારા અજાણ્યા ઈસમો સામે ખુનના ગુન્હાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.