Mysamachar.in-જામનગર:
હાલમાં દેશવ્યાપી લોકડાઉન છે, અને પોલીસ અને પ્રશાશન દ્વારા આ લોકડાઉનની કડકાઈથી અમલવારી કરાવવામાં આવી રહી છે, ત્યારે મૂળ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતો યુવક રાજકોટ ખાતે મજુરી કામ કરતો હોય અને જામનગર આવેલ પણ લોકડાઉનને કારણે બહાર જવા ના મળતા કૌશિક માંડેરા નામના 21 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે, પોલીસ ચોપડે જે આપઘાતનું કારણ દર્શાવવામાં આવ્યું છે તેમાં મૃતકના પિતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે યુવક કોરોના વાયરસના કારણે ક્યાય બહાર જવા મળતું ના હોય કંટાળી જઈને પોતાના ઘરે દુપટ્ટા વડે આપઘાત કર્યાનું સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયું છે. જો કે આ જ કારણ છે કે પછી કોઈ અન્ય કારણોસર યુવકે આત્મહત્યા કરી છે તે કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અને તે બાદ વધુ તથ્યો સામે આવી શકે છે.