Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો ગત ચોમાસામા જુદા-જુદા વાવાઝોડાની આગાહી હતી ત્યારથી વીજધાંધીયા થી પરેશાનીમા મુકાયા છે, તે પરેશાની હજુ ભર શિયાળે ચાલુ જ છે અને વીજ વિભાગ તો તેની મસ્તી માં જ પડ્યુ છે ત્યારે વારંવાર વીજફોલ્ટ થાય છે કે પછી કોઇને કમાવી દેવાનુ કારસ્તાન છે? તેવો સવાલ ફરીથી વ્યાપક રીતે ઉઠ્યો છે, કેમ કે લોકોને તો લાઇટ ગઇ એટલી જ ખબર ના હોઇ ટેકનીકલી શુ થયુ તે તો ખ્યાલ જ ન આવે દરમ્યાન જાણકારોના મતે ટ્રાન્સફોર્મરો, વાયરો, સ્વીચો, બોર્ડ, ફ્યુઝ, પેટી વગેરે બદલાવ્યાનુ નોંધાય છે, તેમાંથી દર વખતે તે બદલવાની જરૂર નથી હોતી અથવા તો સામાન્ય રીપેરીંગ થી પણ કામ સારૂ થઇ શકતુ હોય છે પરંતુ સ્ટોકમા ઉધારાય તે માટે આ ફોલ્ટ કે કાપ અમુક વખતે માનવ સર્જીત હોવાનુ જાણકારો કહે છે નહી તો ભરશિયાળે આટલી મોટી સંખ્યામા વિજકાપ ફોલ્ટના કારણે કેમ થાય?
-GETCO અને PGVCLનો હજુ સંયુક્ત ત્રાસ
એક તરફ PGVCL મેન્ટેનન્સના નામે વીજકાપ રાખે તો બીજી તરફ GETCO પણ અલગથી કાપ રાખે GETCOની તો જોહુકમી એવી કે સવારથી કાપ રાખવો છે, તે આગલી રાતે ઓચીંતુ નક્કી કરે અને તેને પુછવાવાળુય કોઇ નહી સંકલન પણ કંઇ નહી અને લાખો લોકો વારંવાર હેરાન થાય આ સ્થિતિ શહેરો અને ગામડાઓ બંનેમા છે. PGVCLની જેમજ GETCO પણ કરોડોની કિંમતના મટિરિયલના હેરફેર અને કોન્ટ્રાક્ટમા નાણા બરબાદ કરીને સ્થાયી અને પુરતો વીજપુરવઠો આપી શકતુ નહોય બંને વિભાગની તમામ કાર્યવાહી ના પ્રજાજનો એ હિસાબ માંગવાનો જવાબ લેવાનો અને અનેક બાબતો જે ચોંકાવનારા ખેલ છે તેના પર્દાફાશ નો સમય પાકી ગયાનુ જુદી જુદી ગ્રાહક હિતની સંસ્થાઓનો અભિપ્રાય છે. તે માટે સૌ જાગી જાય તે સૌના હિતમા છે તેવો નિષ્ણાંતોનો અભિપ્રાય છે.