Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
કોઈએ ખાનગી શાળા શરુ કરવી હોય તો કેટલાય નિયમો સરકારે બનાવ્યા છે, પણ નિયમોના કેટલા નિયમોની અમલવારી શાળા સંચાલકો કરે છે, તેના થી તંત્ર તો ઠીક પણ વાલીઓ પણ અંધારામાં હોય છે, બાળક એટલે કે આવતીકાલ નું દેશનું ભાવી આ ભાવી શારીરિક સક્ષમ બને તે માટે શાળામાં રમત ગમતો સાથે મેદાન હોવું જરૂરી છે, પણ મંજુરીટાઈમે કળા કરી ને ખાનગી શાળાના સંચાલકો ગમે તેમ મંજુરી તો મેળવી લે છે, પણ ખરેખર જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની કેટલી શાળાઓને પોતાના મેદાન છે, તેની વ્યાપક તપાસ થાય તો ઘણું બહાર આવે તેમ છે, પણ જે વિભાગે આના માટે તસ્દી લેવાની છે, તે સ્ટાફ ના હોવાના બહાના આગળ ધરીને કાઈ કરતુ નથી અને શાળા સંચાલકોને મોજ પડી જાય છે, સમગ્ર હાલારમા રમત-ગમતના મેદાન ન હોય તેવી શાળા કોલેજોની માન્યતાઓ રદ કરવાની વ્યાપક માંગણી ઉઠી છે, ત્યારે મેદાન વગરની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ કોની મહેરબાનીથી ચાલે છે? તે સવાલ ઉઠ્યો છે,
દરેક શાળાઓએ પોતાની ટ્રસ્ટની માલિકીના જ મેદાન ફરજીયાત છે તે માટે સંખ્યા મુજબ દસથી બાર હજાર ફુટ નુ શાળા ને લગત જ મેદાન ફરજીયાત છે, અગાઉ ભાડાનુ મેદાન રખાતુ અથવા મેદાન સુધી લઇ જવા લઇ આવવાની વાહનની સુવિધા છે, તેવા અંડર ટેકીંગ ચાલતા હતા પરંતુ હવે તે ચાલતુ નથી છતા કોની મહેરબાની મેદાન વગરની સ્કુલોને ઓથ આપે છે. કેટલીય શાળાઓતો સાંકડી શેરીઓ ખાંચાઓ કે જર્જરીત ઇમારતોમા કે ફ્લેટમા ચાલતી હોય છે, તેને મેદાન તો શુ પાર્કીંગ પ્લેસીસ પણ હોતી નથી તેની સામે જિલ્લા શિક્ષણ અધીકારીએ જે તે વખતે મંજુરીની દરખાસ્તો કરી ત્યારથી શુ લાભ જોઇ ફાઇલ આગળ ધપાવી હશે તેવો શંકાસ્પદ સવાલ તમામ લગત સ્ટાફ સામે આંગળી ચિંધતો ઉભો થયો છે, જયારે રાજ્યમાં કઈક ઘટના ઘટે ત્યારે બધા ઉભી પૂછડીએ દોડે અને પછી જૈસે થે જેવી સ્થિતિ થઈ જાય છે.