Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલીકામા કાર્યપાલક ઇજનેર ડ્રેનેજની પોસ્ટ માટે જેને પસંદ કરવા હતા તેના માટે ઠરાવ કરી કમિશનરને પણ વહીવટી મંજુરી માટે મજબુર કરી સરકારમા વાજતે ગાજતે પ્રકરણ ચોક્કસ એક જ વ્યક્તિની તરફેણમા મોકલાતા અમુક ચબરાકો એવી મજાક કરતા સાંભળવા મળે છે કે પુરેપુરી યોગ્ય લાયકાત ન હોવા છતા “કી” પોસ્ટ ઉપર પોસ્ટીંગ મળે તેનો સંપુર્ણ ખેલ એટલે “અવેજ”નું પુરૂ વળતર અને જે સરકાર હાલ કાર્યરત છે, તેના પક્ષનુ સુત્ર છે કીધુ તે કર્યુ માટે લાભાર્થીએ કંઇ "ભોગ" આપ્યો હશે ત્યારે વચન અપાયુ હશે તે પાળ્યુ હોવાની ચર્ચાઓ આજકાલ મનપામાં ઓફિસે ઓફીસમાં થાય છે, આમા પારદર્શી સરકાર સાબિત કરવા સરકારે આ પ્રકરણ અટકાવવુ પડશે શહેરી વિકાસ નાણા કે લગત વિભાગો અધીકારીઓ સમક્ષ આ ફાઇલ જશે તો તમામે અગાઉના વાંધાઓ અને કા.ઇ. થવા જનાર અમિત કણસાગરાની પુરેપુરી લાયકાત નથી તે ધ્યાને લેવુ પડશે નહિ તો સરકારમા પણ કોઈ ચલણ કામ કરે છે તેવી ખરડાતી છબી ઉભરશે જે યોગ્ય કહેવાય નહી,. કાર્યપાલક ઇજનેર ડ્રેનેજની ભરતી માટે ભાઇ કણસાગરાની આ પોસ્ટ માટે સમગ્ર પ્રક્રિયા કોણ જાણે શા માટે નિતિ નિયમો નેવે મુકી પસંદગી કરાઇ છે, તે આશ્ર્ચર્યકારક રીતે સવાલ ઉભા કરનારી પ્રક્રિયા હોવાનો જાણકારોનો મત છે,
જોકે મોટા માથાઓથી દબાયેલા કે ડરેલા કે પોતાનુ સ્થાન જોખમાવાની ભીતિ હોય તેવા મોટા અધીકારીઓ આ પ્રક્રિયાને કાયદેસર ગણાવે છે અથવા આ બાબત અંગે જાહેર ચર્ચા કરવાના મુદે કિનારો કરી લે છે, બીજી તરફ ભાઇ અમીતને પસંદ કરવા એક તો મોટાભાગની અરજીઓ રીજેક્ટ કરાઇ,ઓછી ડિગ્રી (અન્ય ઉમેદવારોની સરખામણીએ) આ ઉમેદવારને પસંદ કરાયા, સમગ્ર પ્રક્રિયા ખાનગી રાખવામા આવી,ઓંચીતી આ ભરતીમા ગતિ આવી ,આઉટ ઓફ વે જઇ જુનિયરમાંથી સીધા કાર્યપાલક બનાવવા ભરતીની જાહેરાત રાતો રાત નક્કી થઇ….વગેરે અનેક મુદાઓ જોતા આ ઉમેદવાર અન્ય સ્પર્ધકોની સરખામણી એ ઓછી લાયકાત હોવા છતા પસંદ થયા તેમજ સમગ્ર પણે ગેરકાયદેસર પ્રક્રિયા થઇ તેમ નિષ્ણાંતો માને છે,અને આ મામલે કાનાણીએ તો મુખ્યમંત્રી સુધી પણ પત્રવ્યહાર કર્યો હતો.
જનરલ બોર્ડે બહાલી આપી હોઇ કા.ઇ.ડ્રે. તરીકે અમીત કણસાગરા જેવા જુનિયરને પદભાર આપવા હવે કમીશનરે વહીવટી મંજુરી આપી પ્રકરણ સરકારમાં મોકલ્યુ છે, તો સરકારમા પ્રકરણ ગયુ ત્યા પણ અટકાવી શકાય અથવા અદાલતના દ્વાર પણ ખખડાવી શકાય તેમ નિષ્ણાંતો જણાવે છે. જો તેમ થાય તો નિમણુંક અદ્વરતાલ રહી જાય એ સ્વાભાવીક છે. જોવાનુ એ છે કે પારદર્શીતા અને ન્યાયની જીત થાય છે કે જામનગરના કોર્પોરેશના સતાધારીઓ અને પરદા પાછળના સાચા સતાધારીઓ પુરેપુરૂ "વળતર" આપવામા સફળ થાય છે.