Mysamachar.in-જામનગર:
બ્લોક રિસોર્સ સેન્ટર અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર જેને બી.આર.સી,સી.આર.સી. કહેવાય છે.,જેને એકંદર શિક્ષણનુ સ્તર સુધારવુ, પ્રાથમિક શિક્ષણ માટે બાળકોને પ્રેરિત કરવા તાલીમ આપવી વગેરે અનેક જવાબદારી છે, ખાસ કરીને દરેક બાળક ભણે એ તો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે શિક્ષણ વિભાગમાં આ બન્ને હોદાઓનું શું મહત્વ અને કેવા પ્રકારની કામગીરી છે તે માયસમાચારના વ્યુઅર્સ જાણી શકે તે માટે અમુક મુદ્દાઓ ને અહી સમાવેશ કરવનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
-શાળાઓ, સ્પેશિયલ ટ્રેનિંગ વ્યવસ્થા.
-પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી, વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો.
-શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ.
-શાળાઓના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન).
-શાળાનું અનુદાન.
-ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને).
-શીક્ષકોને તાલિમની જોગવાઈ.
-જુથ નેતાને તાલિમની જોગવાઈ.
-વિકલાંગ બાળકોની વિશેષ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો.
-સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ.
-સંચાલન માળખું ઉભું કરવું.
-કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા./અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન.
-બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા.
-વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું.
-સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ.
-એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું.
-કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ.
-કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ.
-જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ.
કમ્પ્યુટર ધ્વારા શિક્ષણ (કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ).
હવે વ્યુઅર્સને અનુરોધ છેકે સરકાર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચ બીઆરસી સીઆરસી પ્રવૃતિઓ માટે કરે છે તે ન્યાયી છે કે નહી અને આ વિભાગો તેમને સોંપેલી જવાબદારીઓના પાલનથાય છે કેમ અને આ કામગીરીઓ માટે વપરાતા સરકારી નાણા એટલે કે આપણા નાણા ઓના ખર્ચની પારદર્શીતા કેટલી? આવા દરેક વિષય ઉપર પોતાનો અભિપ્રાય જણાવે,આ અભિપ્રાયો ઉપર સંશોધનાત્મક અહેવાલના પ્રયત્ન કરાશે.