Mysamachar.in-જામનગર:
જામનગર ભૂકંપ સંભવિત ઝોન-4માં આવે છે, અને અહી અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકાઓનો અનુભવ લોકો કરતા પણ રહે છે, એવામાં શહેરમાં આવેલ સૈન્ય દ્વારા જયારે બોમ્બબાર્ડીંગની પ્રેક્ટીસ ચાલતી હોય ત્યારે પણ ધરા ધ્રુજી ઉઠી તો લોકો ભૂકંપ આવ્યાનું પણ અનુમાન કરતા હોય છે, એવામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત સામાન્ય આંચકાઓથી જામનગરની ધરતી ગતરાત્રીના ફરી ધ્રુજી ઉઠી છે, ૧૧:૦૪ મીનીટે ૨.૩ ની તીવ્રતાનો નોંધાયો જેનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૮ કિલોમીટર દુર હોવાનું જયારે બીજો આંચકો ૧૧:૦૯ મીનીટે નોંધાયો જેની તીવ્રતા ૨.૫ ની નોંધાઈ છે, અને કેન્દ્રબિંદુ જામનગરથી ૨૭ કિલોમીટર દુર નોંધાયું છે, જો કે સામાન્ય આંચકાઓનેકારણે અન્ય કોઈ નુકશાની નથી થઇ પરંતુ લોકોમાં ભય પેસી ગયો હતો, જો કે તંત્ર દ્વારા આ પૂર્વે કરવામાં આવેલ સાવચેતીના પગલા લઇ લોકોએ ભયમુક્ત રહેવું જોઈએ.