Mysamachar.in-જામનગર:
ખાસ કરીને ચોમાસુ સારૂ જાય એટલે દિવાળીના ગાળાથી માર્કેટમાં તેજી આવે એવો જાણે વણલખાયેલો સિદ્ધાંત થઇ ગયો હતો પરંતુ સો ટકા જ નહી પોણા બસ્સો ટકા જેટલો ભરપુરથી ય વધુ વરસાદ થયો છતાય તેજીના અણસાર નથી… માટે આ વખતે તેજી માટે સારૂ ચોમાસુય ફળદાયી રહ્યુ નહી અને વેંચાણ ઉત્પાદન ખાસ કંઇ વધ્યા નહી માટે બજારમાં સુસ્તી જ રહી…
જેથી બેરોજગારી અને તેના કારણે આર્થિક પ્રવાહીતાને બ્રેક લાગવાનું પ્રમાણ વધતુ જ રહ્યુ છે, જે છેલ્લા મહિનાઓમા તો દરેક વર્ગને મુંઝવણ વધારનારૂ બની રહ્યુ છે, ખાસ કરીને ભારે વિનાશક વરસાદ ત્યારબાદના કમોસમી વરસાદે ખેત ઉત્પાદનોને માઠી અસર પહોંચાડતા ખેત ઉત્પાદન વધવાની આશા પર પાણી ફરી વળ્યુ અને દરેક ખેડૂતો પાસે નાણા પુરતા પ્રમાણમાં આવ્યા નહી જેથી રોટેશનમા ન આવતા ઓટોમોબાઇલ- રીયલ એસ્ટેટ-ટેક્સટાઇલ સહિત સીધા જ લાગુ પડતા સેક્ટરોમા ખાસ કંઇ ગતીશીલતા આવી નહી અને ખેતીના નાણા ફરતા થાય તે રોટેશન ઉપર આધારીત કોઇ ધંધા વિકસ્યા નહી..
સાથે સાથે જાણકારોના મતે જી.એસ.ટી.અમલ બાદ મોટાભાગનુ વેચાણ ઉત્પાદન પારદર્શી થવા જઇ રહ્યુ હોય ખાસ વ્યવહારો જે બારોબાર અને ટેક્સથી છટકીને ચાલતા તે ઠપ્પ થતા બજાર ઉપર પક્કડ આવતા અમુક ધંધા ઉત્પાદનના વ્યવહારો મુંઝવણ અનુભવે છે, જેથી નાણાની બેરોકટોક હેરફેર અને પ્રવાહીતા રહેતી તે નિયંત્રીત થયાનુ અર્થશાસ્રીઓ જણાવે છે, એકંદર દરેક પ્રકારના વ્યવહારો ખુલ્લા પડી રહ્યા હોય મોટાભાગે બેનંબરી વ્યવહાર જો કે ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા ની જેમ આ કાયદામાંથી રસ્તો અમુકે કાઢ્યા જ હશે,
જો કે નોટબંધી બાદ પણ નાણાકીય સંપતિઓ ખુલ્લી પડી હોઇ બેફામ વ્યવહાર કરવા માટે અમુક પાસે રહેતી બેનંબરી નાણાસંપતિ જાણે ગાયબ થવા જઇ રહી છે, આ બધા વચ્ચે હાલતો બેરોજગારી ભરડો લઇ રહી છે કેમકે ઓવરઓલ તો સપ્લાય અને ડીમાન્ડ કંટ્રોલ થતા ક્યાય વિશેષ કામ ન રહેતા કમાવવાની તકો ઘટતા બેરોજગારી વધી રહી છે.