Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી અને જ્યાંથી રેતી, બેલા વગેરે ની ખનીજચોરીઓ થાય છે, તે સ્થાનિક તંત્રોની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર ખનનની પ્રવૃતિઓ ચાલી રહી છે, ત્યારે જામનગરમાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે અનીલ ઉનીયાલ હતા ત્યારે તેમના નામ માત્રથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જતો હતો, ત્યારે જામનગર ભૂસ્તરશાસ્ત્રી મેહુલ દવે થોડા દિવસો ની રજા પર જતા સરકાર દ્વારા ખાણખનીજ વિભાગ જામનગરનો ચાર્જ પણ અનીલ ઉનીયાલને સોંપવામાં આવતા ખનીજચોરો જ્યાં સુધી ઉનીયાલ ચાર્જમાં છે ત્યાં સુધી તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરવા લાગ્યા છે,અરે ત્યાં સુધી કે રેતીના હુડકા, અને રેતીચોરીની સામગ્રી પણ સગેવગે થવા લાગી છે. ત્યારે ઉનીયાલ જોડિયા, ધ્રોલ સહિતના વિસ્તારોમાં તવાઈ બોલાવે તો નવાઈ નહિ.