Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનના વિરાટ વામન ગણાતા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરના એક્સટેન્શનનો મામલો ચોક્કસ દાવપેચના કારણે ગુંચવાયો છે,અને હાલ તો લાભાર્થી અધિકારી માટે"દિલ કે અરમાન માત્ર અરમાન" બની રહ્યા છે,કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા મુજબ ૩૧ જુલાઇના મુકેશ કુંભારાણા નિવૃત થાય છે,તેથી ચાર મહિના પહેલા જ તેમને પોતાને નોકરીમા એક્સટેન્શન મળે તે માટેની અરજી કરી હતી અને સુત્રો એમ પણ ઉમેરે છે અરજી કરી છતા કોઇ પુછે તો ભાઇ એવી રેકર્ડ વગાડે છે કે "આપણે એક્સટેન્શન માંગ્યુ જ નથી"…તેવી વાતો મનપામાં ચાલી રહી છે,
જે રીતે મનપામાં થી વાતો સાંભળવા મળે છે તે મુજબ કમિશ્નરનો રોલ આ સમગ્ર પ્રકરણમા મહત્વનો છે,અને એક તબક્કે અમુક રાજકીય વ્યક્તિઓ સામે તેમણે આ જ મામલે ઘર્ષણ પણ થઇ ગયુ અને અહમ સંતોષવા જ આ પ્રકરણની દરખાસ્ત તેમણે તૈયાર કરી નહી,તો એવી પણ ચર્ચા છે કે બીજા એક રાજકીય જુથને રાજી રાખવા પોતે તેના જ પાળેલા છે તેવુ બતાવવા તે જુથને રાજી રાખવા આ વિરાટ વામનના જુના પ્રકરણો અને અમુક્ ખરડાયેલી બાબતો ઉપરથી ધુળ ખંખેરી અમુક નેતાના વ્હાલા થવા સમગ્ર બાબતે રૂચી દાખવી નથી,
હજુ સમય છે..પરંતુ પનો ટુંકો પડતો નજર આવે છે,જનરલ બોર્ડ આવતીકાલે મળશે તે પહેલાના સમય સુધી ઇ.ચા.ડીએમસી પદ પર આશીન રહેવા ગોઠવણ કરી શકે છે,કારણ કે અમુક ચોક્કસ લોકો માટે અત્યારસુધી તેને જહેમત ઉઠાવી હતી હવે એમના માટે તેવો જહેમત ઉઠાવે તે માટે રાત દિ એક કરી શકાય હવે કાં તો અધ્યક્ષસ્થાનેથી જનરલ બોર્ડમા દરખાસ્ત મુકાય અને સરકારમા પ્રકરણ જાય જો કે કાયદાનુસાર આવી દરખાસ્ત વિધીવત કમિશનર તરફથી થવી જોઇએ તે થઇ નથી તેમજ કલાકો પણ ઓછા છે,છતા ખેલ પાડવાના નિષ્ણાંતો ગમે તે ખેલ પાડી શકે છે,ત્યારે હવે સમય બતાવશે કે એક્સટેન્શન માટેની પ્રકિયા થશે કે પછી…?