Mysamachar.in-જામનગર:
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે તા.૦૩/૧૧/૨૦૧૯ થી તા.૧૩/૧૧/૨૦૧૯ સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.. જેમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ જણાવેલ આ વેબસાઈટ http://www.Joinindianarmy.nic.in વેબસાઈટ પર તા.૦૪/૦૯/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૧૯ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે…જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા હશે…તેવા ઉમેદવારોને ફક્ત ઈ-મેઈલ મારફતે જ કોલ લેટર મોકલવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮-૨૫૫૦૭૩૪, મો: ૯૪૨૬૩ ૧૯૭૪૯) અથવા રોજગાર કચેરી, જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪)નો સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.