Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ટેન્ડર પ્રક્રિયા સરકારી નિયમ મુજબની ન હોવા અંગેનુ ચિત્ર ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે, એક તો ટેન્ડરની અમુક ને જ ખબર પડે તેવી વ્યવસ્થાઓ ખાસ પ્રકારે કરાય છે, પુરતો પ્રચાર પ્રસાર થતો નથી તેમજ અમુક શરતો ચોક્કસ પેઢી કે વ્યક્તિને લાગુ પડે તેવી ખાસ મુકવામા આવે છે, જેથી મામકા જ સચવાય જાય તેવી જ રીતે ટેન્ડર કમિટી પણ ઘણી બાંધછોડ કરતી હોવાની પણ ચર્ચા છે, ઉપરાંત વર્ક ઓર્ડરના ૭ દિવસમા એગ્રીમેન્ટ કામગીરી દર વખતે નથી થતી શાખાવાઇઝ ટેન્ડર રજીસ્ટર નિભાવાતુ નથી, પર્ફોમન્સ બોન્ડ ટેન્ડરની રકમ મુજબ લેવાતુ નથી, કામ પુરૂ થયે શાખા વાઇઝ વ્યવસ્થિત નોંધ પણ થતી નથી ટેન્ડર ફી સરકારના વખતોવખતના નિયમુજબ લેવાતી નથી, એસ્ટીમેટ સાયન્ટીફીક રીતે થતા નથી આવી તો અનેક બેદરકારી વચ્ચે વર્ષે જાહેર અને "ખાનગી" નાના મોટા ૩૦૦ કરોડથી વધુ રકમના ટેન્ડરો બહાર પડે છે.
-પોતાના અંગત ના નામો પર કામો.?
જામનગર મનપામાં વર્ષે કરોડો રૂપિયાના કામો થાય છે, તેમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મેળવવા માટેના ગતકડાઓ થતા હોય છે, કોઈ ભડભાદર હોય અને મોટાનાણા રોકી શકવાની ત્રેવડ હોય તો પોતાની છત્રછાયા હેઠળ નાઓને કોન્ટ્રાકટ અપાવી બેન્કના ખાતાઓ ગરમ કરે છે,આવા લાભ લેનાર શાશક અને વિપક્ષ ઉપરાંત બહારના પણ છે.