Mysamachar.in-જામનગર:
રવિવારે જનતા કરફ્યુને સફળતા મળ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારી વધુ ફેલાય નહીં તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણયના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીને અટકાવવા માટે ૨૧ દિવસ દેશ લોકડાઉન જાહેર કરી દેશભરના તમામ નાગરિકોને સાથ અને સહકાર આપવા અનુરોધ કર્યો હતો, આ દેશવ્યાપી લોકડાઉનને પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા લોકો ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરે તેની ચિંતા કરી અને વારંવાર કલેકટર તાકીદ કરી રહ્યા છે,
તો બીજી બાજુ જામનગર શહેરમાં શહેરીજનોને પણ કરવામાં આવેલી અપીલ ને કેટલાક લોકો દ્વારા ઠુકરાવી સરકારી નિયમોનો અને ચુસ્તપણે અમલવારી કરવાના તંત્રના આદેશને ઘોળીને પી ગયા હોય તેમ અમુક લોકો સ્વયંશિસ્તનું પાલન કરતા નથી, અને શહેરમાં ફરવા માટે દૂધ લેવા કે શાકભાજી લેવા દૂર દૂર સુધી જતા હોય છે, અને તેની સાથો સાથ આવા લોકો શહેરના અન્ય વિસ્તારોમાં પણ બિન્દાસ ફરતા હોય છે તેવી વાસ્તવિકતા જિલ્લા કલેકટર સમક્ષ આવતા સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકો સ્વયં શિસ્તનું પાલન કરી ઘરમાં જ રહે નહી તો આગામી સમયમાં તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે તેવી વાત પણ કલેકટરે વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ મૂકી છે,
કલેકટર રવિશંકરે તો ત્યાં સુધી કહ્યું કે નિયમોનું પાલન કરતા ન હોય તેવા વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની સાથે શહેરમાં હરતા-ફરતા બાઇક સવારોને પણ ખાસ સુચના આપવામાં આવી છે તેઓ બિનજરૂરી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બગીચાની જેમ ફરે નહીં અને સરકારના નિયમોનો ચુસ્તપણે અમલ કરે જો આવા નાગરિકો હજુ પણ નિયમોનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તંત્ર દ્વારા તેમના વાહન ડિટેઇન કરવાની લાઇસન્સ રદ કરવાની અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ જિલ્લા કલેક્ટર દ્વારા વ્યક્ત કરાઈ છે,
જામનગરની શેરી ગલીઓમાં વસવાટ કરતા રહેવાસીઓ દ્વારા લોક ડાઉનલોડ મહત્વ સમજતાં હોવા છતાં ઇરાદાપૂર્વક નિયમોનો ભંગ કરે ઘરની બહાર રહી અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે આવા વ્યક્તિ પોતાના જાનના જોખમે વર્તમાન મહામારીમાં અત્યંત જોખમ ઉઠાવી રહ્યા છે, અને મહામારીની ગંભીરતાને ધ્યાને લેતા નથી ત્યારે પોતાના તેમજ તેમના પરિવારજનોની અને સમાજની પણ કોઇ વાતને ફિકર તે ચિંતા નહીં કરી કોરોનાવાયરસ વધુ ફેલાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં બાઈક પર પસાર થઈ વાઈરસને આવકાર આપી રહ્યા હોય જેથી આવા બિન જરૂરી લોકો ને નમ્ર અનુરોધ છે કે તેઓ લોકડાઉન ના સમયે ઘરમાં રહે અને પોતાની તથા પરિવારજનોની સુરક્ષા કાયમ રાખે તેવી જાગૃતતા દાખવે વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનું બની જવા પામ્યું છે,
જો આવા લોકો હજુપણ વધુને વધુ જાગૃતતા નહીં દાખવે તો જામનગરમાં પણ કોરોનાવાયરસ નો વધારો થવાની પૂરી શક્યતા છે અને તેના જવાબદાર આવા અવરનેસ નહી દાખવનારા લોકોને જ ગણાવી શકાય તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી માટે શહેરીજનો કોરોનાના વાઈરસને ગંભીરતા ધ્યાને લઇ ઘરની બહાર નીકળવાનું ટાળજો અને પોતાની સાથે પોતાના પરિવારજનો પણ ખૂબ જ ધ્યાન રાખજો જેથી આવનારા દિવસોમાં યમદૂત ને આવકારો નહીં જાકારો મળી શકે તેવી તકેદારી રાખી સરકારી નિયમોની વધુ ને વધુ તકેદારી રાખવા ની જરૂર છે એટલે ટૂંકમાં કહીએ તો જાગો જામનગર વાસીઓ જાગો નહિતર બહુ મોડું થઈ જશે..