Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનનુ કચરા ખાતુ એટલે કે સોલિડવેસ્ટ વિભાગ એક તરફ વર્ષે ૩૦ કરોડનુ આંધણ કરે છે, પરંતુ કોઇ જાતના વ્યવસ્થિત અને નિયમાનુસાર ના હિસાબ રાખતા ન હોવાનુ છેલ્લા ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે, આ રિપોર્ટ પરથી સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ કર્યો છે કે સોલિડ વેસ્ટ શાખા હસ્તકના બીલોમા જીએસટી અંગે સફાઇ કામગીરી ઓપરેશન અને મેન્ટેનન્સ ના બીલો અંગે કચરા નિકાલની કામગીરીમા રોકાયેલા વાહનોમા જીપીએસ સીસ્ટમ અમલવારી અંગે ડીઝલ કે સ્પેર પાર્ટસ ખરીદી,મીનિટીપર કોમ્પેક્ટર માટે ટાયર ખરીદી, ઢોર ટ્રાન્સપોર્ટેશન વિગેરેના કામ માટે જમા બુક ડીઝલ વપરાશની નોંધ થવી તે માટે પણ સ્પેરપાર્ટસ ખરીદી અંગે વાહનના હિસ્ટ્રીબુકમા નોંધ મેઝરમેન્ટ બુકમા ફેરાની નોંધ અંગે સંપુર્ણપણે નિયમોના પાલન થતા નથી, તેમજ ઢોર માટેના ઘાસ ખરીદી અને વપરાશના રજીસ્ટર નિભાવાતા નથી…એક તરફ પ્રજાના વેરાની જંગી રકમ ખર્ચતુ કચરા ખાતુ સફાઇ જાળવવામા તો ફેલ છે, ઉપરથી હિસાબમા પણ ગરબડ હોઇ ગેરરીતિની આશંકાઓ પણ નકારી શકાય તેવી નહિ…
સોલીડ વેસ્ટના નાયબ ઈજનેર તો..
હાલ સોલીડવેસ્ટ વિભાગના નાયબ ઈજનેર દીપક શિંગાળાને એવું છે કે સમગ્ર કોર્પોરેશનનો કારભાર તેના પર જ છે. અને તેવો એવા તો ટેન્શનહેઠળ કામગીરી કરતા હોય છે કે ફરિયાદ લઈને આવનાર અરજદારોને પણ યોગ્ય પ્રત્યુતર ના આપતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.