Mysamachar.in-જામનગર:
કોરોના વાયરસની દહેશત વચ્ચે જાહેરમાં થૂંકવા પર કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત જાહેરમાં થૂંકનાર સામે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવ્યા બાદ સોમવારે જામનગરમાં 10 વ્યકિતઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મનપા દ્વારા આ માટે શહેરમાં વોર્ડવાઈઝ અલગ અલગ ત્રણ ટૂકડીઓ બનાવવામાં આવી છે. જે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં જાહેરમાં થૂંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરશે.જામ્યુકો દ્વારા ગઇકાલે શહેરમાં જાહેરમાં થૂંકનારા 10 વ્યકિતઓ પાસેથી 500 લેખે પાંચ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. સોલીડવેસ્ટ વિભાગનાં કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું કે….
અમારી બધી જ ટીમો હાલમાં હાહાકાર મચાવનાર કોરોનાને કાબુમાં કરવાના ભાગરૂપે સઘન સફાઈ ઝુંબેશ ઉપરાંત જ્યાં-ત્યાં થુંકનાર પર નજર રાખીને બેઠી છે, જો તેના ધ્યાનમાં એક પણ વ્યક્તિ જાહેરમાં થુંકતો ઝડપાશે તો તેને સ્થળ પર જ 500 નો દંડ ફટકારીને પહોચ આપી દેવામાં આવશે અને આ કાર્યવાહી અવિરત રાખવામાં આવશે તેમ પણ વરણવાએ ઉમેર્યું હતું.