Mysamachar.in-જામનગર:
શહેરમા અતિ વકરેલા ગેરકાયદેસર બાંધકામના ઝુંડ કે જેના કારણે જાહેર સલામતી, જરૂર પડ્યે બચાવ રાહત કામગીરી,કોર્પોરેશનની આવક,ભાવિ આયોજનો વગેરે અનેક મુદે અડચણ અને નુકશાનીની ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે,તે તમામ અતિ ગંભીર બાબતે એસ્ટેટ શાખા મેઇન " વિલન" હોવાનુ ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે.
આ તારણ એટલા માટે નીકળે કે ઓડીટપેરામા નોંધાયા મુજબ ગેરકાયદેસર બાંધકામની આસામી વાઇઝ વિગત મંગાઇ તો ટી.પી.ઓ.એ જણાવ્યુ કે તે સંપુર્ણ વિગતો પગલા લેવા એસ્ટેટ શાખામા મોકલી અપાઇ છે.જ્યારે એસ્ટેટમાંથી વારંવાર વિગત માંગવા છતા ઓડીટ ને કોઇ વિગત અપાતી જ નથી અને ઓડીટ કોઇ રિમાર્ક આપી શકતુ નથી,
આ લાચારીભરી સ્થિતિ જો ઓડીટની થાય તો એસ્ટેટ વિભાગ કેટલુ પેધી ગયેલુ હશે,તેનો અંદાજ આવી જાય છે.આ તમામ બાબતો વચ્ચે અંતે નુકસાન તો કોર્પોરેશન ને જ છે ને નહી તો ટી.પી.ઓ.એ પણ પુછવુ જોઇએ ને કે જે યાદી મોકલી હતી તેમાંથી કેટલા ડીમોલિશન થયા કેટલા બાકી છે અને તેના કારણો શું છે? જો કે પુછવાથી એસ્ટેટ દાદ પણ ન દે અને બહુ ભારપુર્વક કોઇ તેને પુછી ન શકે તેવી સંવેદનશીલ બાબતો ગઠબંધીત છે,તેમ મનપાના સુત્રો જ જણાવે છે.
એસ્ટેટ વિગતો શા માટે દબાવે છે?
એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર બાંધકામ અંગે યાદી મળ્યા બાદ દબાણ શાખાને તે તોડી પાડવા હુકમ કરી આપવાનો હોય છે,આમ તો ટી.પી.ઓ.નો હુકમ તો હોય જ છે,તેની અમલવારી કરવાની હોય છે તો બહુ પાછળ ન જઇએ તો ૨૦૧૬ થી આ અંગે વ્યાપક કામગીરી કેમ ન થઇ ? કેમ એસ્ટેટે ઓડીટ થી અને કમિશ્નરથી તેમજ વિગત માંગનારાઓમાં થી મોટાભાગનાઓથી આ વિગતો કેમ છુપાવી?તેવા અનેક સવાલના મુળમા ખુબ લાભદાયી એવા એસ્ટેટની સમગ્ર બ્રાંચોના "સહિયારા પુરૂષાર્થ" રહેલા છે.
ગે.કા.બાંધકામ નો વ્યાપ વધતો જાય છે કે વધવા દેવાય છે.?
મનપામાંથી જાણવા મળ્યા મુજબ અમુક કિસ્સામા પતરાના બાંધકામ દબાણ સ્વરૂપે હોય તો પણ નોટીસો આપી દેવાઇ છે,હવે થાય છે એવુ કે જે લીસ્ટ ટીપીઓ મોકલે તેમાંથી મોટાભાગના લોકેશનોમા એસ્ટેટના નાના મોટા સૌ જવાબદારો ચક્કર તો લગાવી જ લે છે,અમુક કિસ્સાઓ "વચેટીયા" ઓ ઉપર છોડાય છે,બાદમા"ગમે તે થતુ હોય"પતરાથી માંડી કાચા પાકા દબાણોમાં થી ઘણાખરા"બીજમાં થી વટવૃક્ષ" થઇ અડગ અને અનટચ રહે છે,આમ આખરી નોટીસો બાદ પણ ગેરકાયદેસરતા વધુ વકરતી જાય છે,તેવુ પણ જાણકારો ખાનગી રાહે જણાવે છે.