Mysamachar.in-જામનગર :
જામનગરમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ પણ દિવસે દિવસે તેનો પ્રકોપ વધારતા જાય છે, જેના પગલે શહેરમાં આખરે ગરમીનો આકરી ગરમીનો પ્રારંભ થવા પામ્યો છે, અને આગામી દિવસોમાં વધુ આકરી ગરમી પડે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જામનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાનનો પારો 3 ડીગ્રી જેટલો ઊચકાયો છે જેના પગલે શહેરીજનો આકરા તાપ સાથે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, શહેરીજનોએ તેમના રહેણાંક મકાન તેમજ ઓફિસોમાં એસી પંખા ઓન ફરજીયાત ઓન કરવાની ફરજ પડી છે,
એક તરફ લોકડાઉન છે તો બીજી તરફ શહેરીજનો લોકડાઉનના પગલે બપોરના સમયમાં ઘરની બહાર નીકળવાનું મુલતવી રાખતા જાહેરમાર્ગો સૂમસામ બન્યા છે, ગરમીનો પારો આગામી દિવસોમાં વધુ ઊંચકાઈ તેવી હવામાન ખાતા દ્વારા સંભાવના દર્શાવવામાં આવી રહી છે, સૂર્યનારાયણના આકરા મિજાજના પગલે શહેરમાં સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી લોકડાઉનની સાથે કુદરતી કરફ્યું જોવા મળી રહ્યો છે, આમ તો જામનગરના લોકો બહાર નથી નીકળતા પણ આ સમય દરમિયાન જરૂરી કામ હોય તો પણ ટાળે છે, વધુમાં લોકો આ સમય દરમિયાન ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સાથો-સાથ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તે સમયે સમય કેમ પસાર કરવો તેવા વિચારો લોકોને અકળાવી રહ્યા છે.