Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામા એસ્ટેટ શાખાની શંકાસ્પદ ઢીલાશ એ જવાબદાર એસ્ટેટ ઓફીસરની ચોક્કસ હેતુ સાથેની બેદરકારી છતી કરે છે, છતાં પણ અહી બોલનારું કોઈ નથી, TPO વખતો વખત ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે જે નોટીસ આપે છે, તે નોટીસોની નકલ સમયસર એસ્ટેટ શાખાને મોકલે છે, ત્યારે આ શાખાના બે મુખ્ય અધીકારીઓ આવી નોટીસ ભેગી કર્યે જ જાય છે, પરંતુ ડીમોલીશન કામગીરી કરતા નથી હા ક્યારેક એકલ દોકલ જગ્યાએ તોડવા જાય છે, આ અંગે આ શાખાના બેદરકારી સહેતુક કરનારાઓમાના એક એમ જણાવે છે કે ટીપીઓ ટીમ સાથે આવે તો અમે તોડવા જઈએ તો જે કંઇ અનઅધીકૃત હોય તે દૂર કરવાની પ્રમુખ જવાબદારી તો એસ્ટેટની છે, અને કેટલો પોર્શન ડીમોલીશ કરવાનો છે તે અંગે ફાઇલ ઉપરથી વિગત મળે અને જેમ ટીપીઓમા ઇજનેર હોય તેમ એસ્ટેટમા પણ ઇજનેર હોય અને જવાબદાર પણ હોય તો તેને ખરેખર દાનત હોય તો ટીપીઓ ટીમ વગર પણ ડીમોલીશન માટે જઇ શકે છે.
પરંતુ જતા નથી તે શંકાસ્પદ છે અને ટીપીઓ એ જ બધુ કરવાનુ હોય તો એસ્ટેટમા આવા પ્રકરણ મોકલવાની જરૂર પણ શું છે? તે સવાલ કોર્પોરેશન વર્તુળો પુછે છે. વળી એસ્ટેટ શાખા સ્થાયી અસ્થાયી કોઇપણ ગેરકાયદેસર દબાણ કે બાંધકામ સમયસર ન તોડી દબાણને પોષવામાં સિંહફાળો આપે છે, તેને રક્ષણ આપે છે અને આ રીતે પોષવાનો કોઇ ચોક્કસ લાભ લે પણ લે છે. તેમ ચર્ચાય છે અને આ લાભ લોકેશન વાઇઝ હોવાનુ અને આસામી વાઇઝ હોવાનુ સુત્રો જણાવે છે. ત્યારે સમગ્ર બાબતે કોઠે નરવા હોવા છતા કાલા ઘેલા થવાનો દેખાવ કરનાર સમગ્ર રેકેટ ની મહત્વની કડી છે, તેમજ જેનો કંટ્રોલ હોવો જોઈએ તે શું કરે છે.? તેમજ નિર્ણય લેનાર અંદર અને બહારના એક એક નિર્માતા નિર્દેશક છે, તેમ કટાક્ષમા જાણકારો જણાવે છે.