Mysamachar.in-ગાંઘીનગર
ગુજરાતમાં અત્યાર સુધી ખતરનાક કોરોના વાયરસના 44 કેસો પોજીટીવ આવ્યા છે, અને તેમાંથી 3 દર્દીઓના મોત થયા છે, જે દર્દીઓના મોત થયા છે તે તમામ મોટી ઉમરના લોકો હતા, અને તેવો અન્ય બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા, આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સમ્બોધન કરતા જણાવ્યું હતું, કે હજુ પણ લોકો ઘરમાં રહે અને બહાર ના નીકળે આમ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એકપણ પોજીટીવ કેસ નથી નોંધાયા અને 11 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે,