Mysamachar.in-જામનગર:
જામનગર જોડીયા આમરણ વગેરે વિસ્તારો ભુકંપ ઝોન -૪ મા આવે છે એટલે ભુકંપની વધુ સંભાવના વાળા વિસ્તારો છે, વૈજ્ઞાનિકો એ જમીનોના ભુકંપ સંભાવના મુજબ ઝોન પાડ્યા છે, જેને સીસ્મીકઝોન કહેવાય છે, જેમા કચ્છ વિસ્તાર ભુકંપની અતિ તિવ્રતાવાળા ઝોન-૫ મા આવે છે, તેવી જ રીતે જામનગર શહેર, આજુબાજુનો વિસ્તાર, જોડિયા પંથક ,આમરણ ચોવીસી વગેરે ભુકંપની તીવ્ર સંભાવના વાળા ઝોન -૪ મા સમાવિષ્ટ છે, સાથે-સાથે હાલારના અન્ય તાલુકા વિસ્તાર ઝોન ૩ અને ૪ ની વચ્ચે આવે છે, માટે જ્યારે પણ પેટાળમા હલચલ થાય એટલે ક્ચ્છ અને જામનગર મા અસર વધુ અનુભવાય છે,આવી જ અસર વધુ એક વખત સિસ્મોલોજી વિભાગમાં નોંધાઈ છે.
જેમાં ગતરાત્રીના બે વાગ્યાથી માંડીન સવારે ૭ વાગ્યા સુધીમાં ભૂકંપના ૬ આંચકાઓ નોંધાયા નું સતાવાર જાહેર થયું છે. જે આંચકાઓ નોંધાયા છે તેમાં ૨.૧ થી માંડીને ૨.૬ એટલે કે સામાન્ય તીવ્રતાના આંચકાઓ હોવાનું જાણવા મળે છે, તો ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગર થી ૨૩ થી ૨૭ કિલોમીટર દુર નોંધાયું છે. ઝોન ૪ મા આવતા આ વિસ્તારમા બાંધકામ વધુ મજબુત એટલે કે ભુકંપ પ્રુફ બનાવવાની સરકારની ગાઇડ લાઇન છે, જેથી જોખમ ઘટે પરંતુ દરેક વખતે આ કાળજી લેવાતી ન હોય બહુ માળીઓમા વધુ ધ્રુજારી અનુભવાય છે.
સામાન્ય રીતે ૪ કે ૫ ની તીવ્રતા સુધીના ભુકંપના આચકા વધુ નુકસાનકારક નથી પરંતુ તેનુ ડ્યુરેશન એટલે કે કેટલી સેકન્ડ ચાલે છે તેના ઉપર છે જો વધુ ચાલે તો વધુ નુકસાન પણ થાય, નિષ્ણાંતો એમ પણ ઉમેરે છે કે હાલ ભુકંપની ઉંડાઇ ઓછી છે અને ડ્યુરેશન પણ ઓછુ છે જેથી સાવધાન રહેવાય પરંતુ જોખમ ની સંભાવના નથી પરંતુ કાચા પાકા જેવા કે જર્જરિત બાંધકામોથી દૂર રહેવુ હિતાવહ છે, તેમજ દરેક પ્રકારની તકેદારી રાખવી આવશ્યક છે.