Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા દિનપ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે, પણ તેની સામે આરોગ્યવિભાગની સતર્કતા ને કારણે કેટલાય દર્દીઓના પોજીટીવ રીપોર્ટ આવ્યા બાદ પણ તેમનો જીવ બચાવવામાં સફળતા તબીબોને મળી રહી છે, આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં સબોધન કરતા માહિતી આપી કે રાજ્યમાં નવા 7 કોરોના પોજીટીવ કેસો સાથે અત્યારસુધીમાં કુક 95 પોજીટીવ કેસો ગુજરાતમાં નોંધાવવા સાથે 8 દર્દીઓના મોત થયા છે. 95 કેસો જે પોજીટીવ સામે આવ્યા છે તેમાં સૌથી વધુ અમદાવાદમાં 38, સુરત 12, ગાંધીનગર 11, રાજકોટ 10, વડોદરા 9, પોરબંદર 3, ભાનવગર 7,ગીરસોમનાથ 2, અને કચ્છ મહેસાણા અને પંચ્મહાલમાં એક એક કેસ સામે આવ્યા છે.