Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં એક ખૂબી શોધવા જઈએ તો તેર ખામીઓ મળે તેમ છે, વર્ષોથી કેટલાય આસામીઓ પાસેથી મનપાએ કરોડોનો ટેક્સ વસુલાત કરવાનો બાકી છે, તેના માટે હમણાં છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ શરુ કરવામાં આવી છે, સારી બાબત છે આવી ઝુંબેશો અવિરત રહે તો જ મનપાની તિજોરીને આવક થાય..પણ ઉઘરાણીના ઉત્સાહમાં મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ કેવું બુદ્ધિનું પ્રદર્શન કરે તેનો એક દાખલો આજે જોવા મળ્યો…
વાત છે જામનગરના મેહુલનગર એક્સચેન્જ રોડની જ્યાં મોબાઈલ પ્લાઝા નામની દુકાન ચલાવતા સંજયભાઈ ચૌહાણ આજે જયારે સવારે પોતાની દુકાને પહોચ્યા તો તેવો પોતાની દુકાન પર સીલ લાગેલ જોઇને આશ્ચર્યમાં પડી ગયા, જે બાદ તેવોએ દુકાનના શટર પર ચોડેલી નોટીસ જોઈ તો તેમાં કોઈ મહિલા આસામીના નામનો ઉલ્લેખ હોવાનું તેવોને જોવા મળ્યું હતું, ખરેખર દુકાન તો ગોપાલભાઈ ચૌહાણના નામની છે, અને તેમના દ્વારા ગત છ જાન્યુઆરીના રોજ ૪૦૦૦ રૂપિયા મનપામાં રોકડા ભરપાઈ કર્યાની પાકી પહોચ પણ તેમની પાસે છે, છતાં દુકાન સીલ કરી દેવામાં આવતા આસામીએ આ અંગે મનપાની ટેકસશાખાને જાણ કરી છે. પણ મનપાનું તંત્ર કઈ રીતે ચાલે છે તેનો આનાથી મોટો પુરાવો શું હોય શકે.
-આવું બને નહિ હું તપાસ કરાવું છુ :જીગ્નેશ નિર્મલ
આ અંગે મનપાના આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે આવું બને નહિ…છતાં પણ હું તપાસ કરાવું છું, હવે તપાસમાં શું થાય છે તે જોવાનું છે.
-મિલકત બીજા નામની નોટીસ બીજા નામની…
જે દુકાન પર નોટીસ અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી તે દુકાન ગોપાલભાઈ ચૌહાણના નામની છે, જયારે દુકાન પર ચોડવામાં આવેલ નોટીસ કોઈ મહિલા આસામીના નામની છે.