Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પરોડિયા ગામના સરપંચ અને ગ્રામજનો કોરોના વાયરસ મામલે ખોટી અફવા ફેલાવતા હોવાથી પોલીસે ફરિયાદ નોંઘીને વધુ તપાસ હાથ ઘરી છે. સલાયા મરીન પોલીસ ઈન્સ્પેકટર જી. આર. ગઢવીના ઘ્યાન ઉપર આવેલ કે પરોડિયા ગામના સરપંચ ભીખાભાઇ ડોસલભાઈ ભાચકન તથા પરોડિયા ગામના અન્ય ગ્રામજનોએ હાલાર ટુડે પ્રેસમાં એવી જાહેરાત આપેલ કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લોક ડાઉન વચ્ચે જિલ્લાના તંત્રની ઢીલી નીતી આવી સામે આવી છે. તેમાં પરોડિયા ગામે નજીક બે દિવસ પહેલા વિદેશી જહાજ આવેલ છે. ત્યારે જહાજમાં રહેલ લોકો ગામમાં આવતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ મુજબની જાહેરાત આપી હોય જે લોકોને ગુમરાહ કરનાર હોવાથી અને કોરોના વાઇરસની આપતી અંગે ખોટી અફવાઓ ફેલાવી લોકોને ભયભીત કરે છે.
જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હોય અને આ પ્રેસ કટિંગ અંગે પોલીસ ઈન્સ્પેટર જી.આર.ગઢવીએ જાતેથી ખરાઈકર્તા સ્ટીમરમાં કે જહાજના કોઈ વિદેશી કૃમેમ્બરો જરૂરી વિભાગોની મંજૂરી વિના સ્ટીમરમાથી નીચે ઉતરતા ન હોય કે ક્યાક અન્ય જગ્યાએ જતાં ન હોય અને દરિયામાં જ સ્ટીમરમાં રહેતા હોય અને જણાવેલ હતું. આ ઉપરાંત અખબારમાં લખેલ સમય તારીખે પરોડિયા ગામ કે તેની આસપાસમાં કોઈ વિદેશી નાગરીક પ્રવેશેલ ન હોય અને પરોડિયા ગામના સરપંચ ભીખાભાઇ ડોસલભાઈ ભાચકન તથા ગ્રામ્યજ્નો ખોટી જાહેરાત અફવાઓ ફેલાવતા હોય જેથી પોલીસ ઈન્સ્પેટર જી. આર. ગઢવીએ જાતેથી ફરિયાદી બની ને તેઓની વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેંટ એકટ 2005 ની કલમ 54 તથા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાના જાહેરનામા મુજબ ગુન્હો દાખલ કરી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.