Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં કેટલીય ખાનગીશાળાઓ શિક્ષણ આપવા માટે નહિ પરંતુ કમાણીના સાધન તરીકે ચાલી રહી છે, અને સરકારના તમામ તો નહિ પણ પાંચ ટકા કહી શકાય તેટલા નીતિનિયમોનું પાલન પણ આવી શાળાઓ નથી કરતી, છતાં પણ સ્ટાફના હોવાનું ગાણું ગાઈને શિક્ષણ વિભાગ જામનગર હાથ પર હાથ ધરીને બેસી રહ્યો છે, નિયમોની એસીતેસી કરનાર શાળાઓની માહિતી જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસે ના હોય તેમ બને ખરે..?
એવામાં સુત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે જામનગરના રણજીતસાગર રોડ પર એક જાણીતી શાળાએ થોડા સમય પૂર્વે મંજુરી માટેની જરૂરી પ્રક્રિયાઓ કરી હતી, પણ નવા નિયમ મુજબ મેદાનના હોવું સહિતની તમામ બાબતોને લઈને તેને “નામંજૂર” કરવામાં આવી છે, છતાં પણ શાળા સંચાલકોને એવો તો "પવન" છે કે અમારું શું થાય.? અને આ શાળા અત્યારે ચારમાળની ઈમારતમાં ધમધમી રહી છે, ખુદ જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા પણ જાણે છે, છતાં માત્ર તપાસના નાટકો કરીને કોઈ નક્કર કાર્યવાહી ના કરવા માંગતા હોય આવા શિક્ષણના હાટડાઓ ચલાવનાર તત્વોને શિક્ષણવિભાગના ચુપ રહેવાના આશીર્વાદના કારણે મોજે-મોજ પડી ગઈ છે.