Mysamachar.in-જામનગર:
શિક્ષણ બાળકોને અભ્યાસ માટે નહિ પણ ધંધો બની રહ્યો છે, એવામાં જામનગર શહેર અને જીલ્લામાં ખાનગી શાળાઓ નિયમોની એસીતેસી તો કરી જ રહી છે, અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તો યેનકેન પ્રકારે છેતરપીંડી કરે જ છે, પણ પોતાની જ શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો સાથે પણ છેતરપીંડી આચરી રહી છે, પણ મજબુરી છે કે કોઈ આગળ આવીને આ મામલે અવાજ ઉઠાવતા નથી અને શોષણનો શિકાર થાય છે, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકશાળાઓ મા પીટીસી, બીએડ વગેરે અભ્યાસક્રમવાળા શિક્ષકો હોવા જોઇએ પરંતુ મોટાભાગે તે મુજબ નથી તે જામનગર અને દ્વારકા જિલ્લાશિક્ષણાઅધિકારી ને ખબર જ છે તેમ છતા પગલા લેવાતા જ નથી તે સાંઠગાંઠ નહી તો બીજુ શુ?
લાયકાત વગરના શિક્ષકો શું શિક્ષણ આપતા હશે.? તે સવાલ ચિંતાજનક છે પરંતુ ડિ ઇ ઓ ને તે ચિંતા નથી,પરંતુ જેની પાસે ખરેખર લાયકાત છે તેવા શિક્ષકોનું શોષણ થઇ રહ્યાનું સામે આવે છે, અને આવા શિક્ષકોને પુરા પગારનો ચેક આપ્યા બાદ તેમાંથી અમુક શાળાઓ અમુક રકમ પાછી રોકડમાં મેળવી લે છે. ના આપે તો શિક્ષકોને દબાવે છે, આવી શાળાઓની સંખ્યામોટી છે, જેમાં ખ્યાતનામ શાળાઓ પણ છે, ત્યારે આવી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ ખરેખર જાગૃત થવું જોઈએ, અને અવાજ ઉઠાવવો જોઈએ , શાળાઓએ પોતાને ચોપડે ના લેવા પડે માટે અમુક ખાનગી શાળાઓ શિક્ષકોના પણ “કોન્ટ્રાકટ” આપે છે, અને મોટા ટેક્સની છેતરપીંડી સરકાર સાથે પણ બધું સરભર કરી નાખીને કરવામાં આવે છે,