Mysamachar.in-જામનગર:
જિલ્લાના જામજોધપુર તાલુકામા રોડના કામ નબળા થયા તે અંગે ત્યારે સુતેલુ તંત્ર હવે સર્વે કરવાનુ કહે છે તે કેવુ કહેવાય.? જો કે જિલ્લાભરમાં આવી જ સ્થિતિ અવારનવાર થાય છે, માર્ગ મકાન વિભાગ દ્વારા ધ્રાફાથી જામજોધપુર સુધી બનાવામા આવેલ રસ્તો ૧૧ માસમા બેહાલ થઇ ગયો છે, તેમજ જામજોધપુર થી સીદસર રોડ આઠ માસમા બેહાલ થઇ ગયો છે, તે અંગે ધારાસભ્યએ ફરિયાદ કરી હતી જેથી સ્ટેટ pwd એ જણાવ્યુ કે રોડ બગડી જવા અંગે સર્વે કરશે ત્યારે પ્રશ્ર્ન એ છે કે રોડના કામ વખતે પહેલા સુપરવિઝન ન કર્યુ તો શુ કર્યુ? તો હવે સર્વે કરાશે? આવી રીતે દરેક કામ પાર્ટી ઉપર છોડાતા હોઇ નમુના ચેક થયા ન હોય સુપરવિઝનના ધાંધીયા હોઇ આવી રીતે અનેક રોડ ટુકા ટાઇમમા બેહાલ થતા રહે છે.