Mysamachar.in-જામનગર
હાલ ગુજરાતમાં ખેડૂતોએ શિયાળુ મબલખ પાકનું ઉત્પાદન કરેલું છે. જેમાં ઘઉં, ચણા, બાજરો, ધાણા, જીરું, જુવાર, ચોખા, મકાઇ, લસણ, તેમજ ડુંગળીનું ખૂબ જ મોટા પાયે ઉત્પાદન થયું છે. ત્યારે રાજય સરકારે ખેડૂતો એટલે કે જગતના તાતની વહારે આવી આવા થયેલ પાકો સીધા જ વેપારીઓ ગામડે ગામડે જઈ ને વાડી કે ખેતરેથી ખરીદી કરે,તો આ થયેલ પાકમાં વાહનવ્યવહારની નુકશાનીથી ખેડૂતો બચી શકે તેમ છે. કારણ કે જો યાર્ડમાં મોકલવામાં આવશે તો એકી સાથે લાખો ખેડૂતો યાર્ડમાં આવી જશે. જેના કારણે આ 21 દિવસનું લોકડાઉન થયેલ છે. તેનો કોઈ અર્થ રહેશે નહિ.
કારણ કે હાલમાં શિયાળુ ઉપજ જેવી કે ઘણા, જીરૂ, લસણ, ડુંગળી, જેવી વસ્તુઑ લાંબોટાઈમ રાખવાથી બગડી જતી હોય છે. જેના કારણે લાખો ખેડૂતો ચિંતાતુર થઈ રહયા છે. કારણ કે ખેડૂતો પાસે કોલ્ડસ્ટોરેજ હોતા નથી.આમેય ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજ ઓછા પ્રમાણમા જ છે જેથી આવી વસ્તુઓ માટે સરકાર તાત્કાલીક પગલાં લઈએ તેવી રજૂઆત ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમ માડમએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.