Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે દિવાળીના તહેવાર પહેલા પરવાના તો ગમે ત્યારે આવે તે વિચાર્યા વગર જ અમુક હિમતવાળા વેચાણકાર રેકડી, કેબીન, પથારા કે દુકાનમા માંડે ફટાકડા વેચવા અને જે થશે એ જોયુ જશે તેમ વિચારે છે, કેમ કે જુદા-જુદા વિભાગના અભિપ્રાય એન ઓ સી સ્થળ તપાસ વગેરે મા અનેક કારણસર વિલંબ થાય તો ત્યા સુધી રાહ કેમ જોવી તેમ વિચારી અમુક તો જામી જ પડે છે,
વળી ફટાકડામા ગાળો પચાસથી માંડી ૮૦ ટકા હોય વધુ ટકા નફો રળવા માટે જરૂર પડ્યે "સાચવવા" પડે કોઇને તો મોંઘુ ન પડે જોકે અમુક ખુણા ખાચરાના વેચાણ કરનારને ત્યા તો દિવાળી સુધી કોઇ ફરકે પણ નહિ હા કોક ફરિયાદ કરે તો વાત અલગ છે, સમગ્ર પણે અપાતા ૧૫૦ થી ૩૦૦ ની સંખ્યાના પરવાના સામે તેથી દસ ગણા સ્થળોએ વેચાણ થાય તેવુ પણ ક્યારેક બનતુ હોય છે,
પરંતુ તાજેતરના જામનગર સહિત રાજ્યભરના આગ અકસ્માત જોતા આ વખતે ફાયર વિભાગ બહુ કડક છે તે કંઇ ચલાવશે નહિ, કેમકે ફટાકડા સિવાય કંઇ વેચવુ નહિ,વાયરીંગ સારૂ અને સલામત હોવુ જોઇએ,પાણી ની ડોલ બેરલ રાખવા, રેતીની ડોલ બાચકા રાખવા, ફાયર શામક રાખવુ, ટ્યુબલાઇટ એક જ રાખવી, મંજુરી સિવાયના સ્થળે ને તે સિવાયના પ્રકારના ફટાકડા ન વેચવા, ફટાકડા વેંચાણ થી રોડ ઉપર અડચણ ન થવી જોઇએ વગેરે વગેરે બાહેંધરીપત્રોમાં તો લખાવવામાં આવે છે પણ અમલવારી શું અને કરાવશે કોણ તે જોવાનું છે.
-મંજુરી વગરના નુ શુ?
આ તો થઇ મંજુરીવાળા વેચાણકારોની વાત પરંતુ મંજુરી વગર રેકડી પથારા કેબીનમા બીજી વસ્તુની સાથે અને ગીચ જગ્યાઓમા આડેધડ જે વેંચાણ થાય ત્યા ફાયર કે એસ્ટેટ કેમ પહોંચે એક તો સ્ટાફ ઓછો છે, બીજુ તહેવારની મોસમ છે, એમને પણ "પર્સનલ"અને તેમના વિભાગના બીજા કામ હોય જ માટે લોકોએ જાગૃત થવુ પડશે, આવી બાબતોએ દરેક ઉચ્ચકક્ષાએ વારંવાર ફરિયાદ કરતી રહેવી પડશે, માય સમાચાર લોકોની સલામતી માટે લોકોને જાગૃત કરવા આ દરેક બાબતો રિપિટ કરતા રહેવા પણ કટીબદ્ધ છે.