Mysamachar.in-જામનગર:
જો તમારા બાળકો ને તમે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવી રહ્યા છો..તો એ વાત પણ તમારા માટે જાણવી જરૂરી છે કે તમે જે શાળામાં એડમીશન લીધું છે, જયાની તમને ફી ની રસીદ મળે છે તે જ શાળામાં તમારું સંતાન અભ્યાસ કરી રહ્યું છે કે કેમ…કારણ કે ખાનગી શાળાઓની અનિયમિત તા ઓ એ તો માજા મુકી છે, છતા જિલ્લાનો શિક્ષણ વિભાગ નિંભર પડ્યુ રહે છે, અને આવી અનિયમિતતાઓ તો શિક્ષણ વિભાગની મહેરબાનીથી હાલારમા જ હાલે તેમ જાણકારો ચર્ચા કરે છે.અમુક શાળાઓમાં ક્લાસરૂમની સાઈઝ માપદંડ કોઈ નિયમ મુજબની નથી, તેના કારણે સ્વાસ્થ્ય પર મોટી અસરો જોવા મળે જેના ચેકિંગ થતા નથી તો એથીય ગંભીર બાબત સામે એ આવી છે કે સાયન્સની મોટાભાગની શાળાઓમાં જે જગ્યાએ એડમીશન હોય તે શાળામાં કોઈ સુવિધા ના હોય બીજી શાળામાં વિદ્યાર્થીને ભણવા મોકલે એટલે કોઈ દિવસ કાઈ પ્રશ્ન થાય તો જવાબદારી કોની ગણવી.? આ અંગે ચોક્કસ ચેકિંગની કાર્યવાહી ઉપરાંત વાલીમંડળો જેવી સંસ્થાઓએ પણ આવા સાચા મુદ્દાઓ પર પ્રકાશ વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ફેંકવાની જરૂર હોય તેમ લાગે છે.
-અનેક તો ખામીઓ છતા ટ્યુશન રાખવા પડે
શાળાઓમા ખામીઓ ઘણી હોય છે ઉપરથી ગ્રાન્ટેડ, સેલ્ફ ફાયનાન્સ અને ગર્વમેન્ટમાં કોઈપણ શિક્ષકોને ટ્યુશન કરાવવાની મંજુરી જ નથી છતાં આવા કેટલાક શિક્ષકો ટ્યુશન કલાસીસ આરામથી ચલાવે છે, તેમાં ફરજીયાત જવુ પડે અમુક શિક્ષકો તો બીજાના ક્લાસીસમા ભણાવવા જાય છે, અને સ્ટુડન્ટ ઢસડી જાય તેના કમિશન મેળવે છે તે અલગથી લાભ થાય છે
-વાલીઓના લેવાતા ગેરલાભ થતા શોષણ
શાળાઓ ખાનગી પબ્લીકેશન સાથે કમીશનની ગોઠવણ કરીને તેના જ પુસ્તકો કોઈ એક જ દુકાને કે એક જગ્યાએ થી મળે તે માટેની આખી ગોઠવણ કામ કરે છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ મજબુર થઇ ત્યાં થી તગડી કિમંત આપી લે છે, ગણવેશમાં પણ આવું જ સેટિંગ કરવમાં આવે છે તેમ પણ વાલીઓએ દર્દ સાથે વિગત આપતા જણાવ્યુ છે, કેટલીય શાળાઓ પ્રાઈવેટ પબ્લીકેશનના પુસ્તકો ઉપયોગ ના કરી શકે છતાં પણ કરે છે,આ બે મુદ્દાઓમાં સ્કૂલો લાખોનું કમીશન મેળવે છે, શાળા જણાવે તે દુકાન પરથી ખરીદી કરવી ફરજીયાત હોય છે તે તો લુંટ જ ગણાય અને દબાણ ગણાય પરંતુ વાલીઓની મજબુરીનો લાભ નહિ ગેરલાભ લેવાય છે.